Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 150
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૩૯] મધ્યમ ગૌણતા છે, છડું (ધર્મધ્યાનની) મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે (ધર્મધ્યાનની) મુખ્યતા છે” (૬૨) 1 ગુણસ્થાનક એટલે આત્માના ગુણોની પ્રગટતાની અપેક્ષાએ ધર્મધ્યાનની ગૌણતા-મુખ્યતા દર્શાવતાં ઉપરનાં વચને અત્યંત ગંભીર વિચારણું માગી લે છે. જે તેને યથાર્થતાએ વિવેકથી સમજવામાં આવે તે ઘણી શંકાઓ કે આશંકાઓનું સમાધાન થઈ જાય અને પૂર્વગ્રહથી બંધાયેલી કેટલીક દોષવાળી માન્યતા દૂર થાય. - ચેથા ગુણસ્થાનકવાળે જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાને જે વિચાર કરે છે તે કઈ અંશે પ્રતીત થઈ શકે, પણ તેને પહેલા ગુણસ્થાનકવાળે જીવ વિચાર કરે તે તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હાય નહીં. ” (વ્યાખ્યાન સાર-૧) ચોથે આત્માનુભવ થયા પછી આત્મદષ્ટિ રહેતી હોવાથી અને આત્માની શુદ્ધતા તરફ જવાને લક્ષ થવાથી જીવ રાગશ્રેષના કષાયભાવ ઘટાડવા અંતરત્યાગ કરતા જાય છે અને તે શાસ્ત્રોમાં અણુવ્રત તરીકે પ્રસિદ્ધ છે. તે જ પાંચમું ગુણસ્થાનક છે. જેમ જેમ અંતરત્યાગ વધે છે (અને સાથે સાથે બાહ્યત્યાગ પણ શરૂ થઈ વધતું જાય છે), તેમ તેમ પાંચમામાં આગળને વિકાસ સાધ્ય થતું જાય છે, ટુંકામાં અંતરમાં પદાર્થો પ્રત્યેના રાગદ્વેષના ભાવો આત્મહિતાર્થે નકાર વર્તાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174