Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 149
________________ [ ૧૩૮ ] નિર્વાણમાર્ગનું રહસ્ય તેને મેક્ષે પહોંચાડે એ મારી પ્રતિજ્ઞા છે! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. . સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે – હું જીવને મેશે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું, અને તું પણ તે જ કાર્ય કરે છે; તું તેથી કંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તે પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં પરંતુ તેને પામવામાં મારી જરૂર રહે છે.” (વ્યાખ્યાન સાર–૧) સ્વરૂપપ્રતીતિ એટલે ચેથા ગુણસ્થાનકવતી સમકિતની વાત પૂરી કરી, હવે ત્યાર પછીનાં “અપ્રમત્ત સંયમ” શબ્દો મૂક્યા છે તે પર વિચાર કરીએ. અપ્રમત્ત સંયમ નામનું સાતમું ગુણસ્થાનક છે. તે પછી પાંચમા તથા છઠ્ઠા ગુણ સ્થાનકને કઈ વચનથી ઉલેખ કેમ નહીં કર્યો તે પ્રશ્ન થવે સંભવે છે. તેનું સમાધાન વિચારતાં આ પ્રમાણે સમજાય છે. એક તે ચેાથેથી પાંચમે આવવું તે પ્રમાણમાં ઘણું સહેલું છે; પાંચમેથી છઠું આવવું ડું અઘરું છે, છતાં સહેલું છે એમ કહી શકાય, પરંતુ છઠ્ઠામાંથી સાતમા ગુણસ્થાનકે આવવું તે અવશ્ય ઘણું અઘરું છે. બીજુ, ચોથાવાળે સાતમે આત્મદશા કેવી હોય, આત્માનુભવની નિમગ્નતાની માત્રા કેવી હોય તેની સમજણ લઈ શકે છે, તેથી તુરત સાતમા ગુણસ્થાનકની વાત કહી જણાય છે. ચેથા ગુણસ્થાનકે આવેલે પુરૂષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે (ધર્મધ્યાનની) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174