Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 162
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૫૧] जन्मांतरसंस्कारात् स्वयमेव किल प्रकाशते तत्त्व। सुप्तोत्थितस्य पूर्व प्रत्ययवनिरूपदेशमपि ।। જેમ નિદ્રામાંથી ઊઠેલા માણસને પૂર્વે એટલે સૂતાં પહેલાં અનુભવેલાં કાર્યો ઉપદેશ વિના, કેઈના કહ્યા સિવાય યાદ આવે છે, તેમ જન્માંતરના સંસ્કારવાળા પુરૂષને ઉપદેશ સિવાય પિતાની મેળે જ નિચે તત્ત્વજ્ઞાન પ્રકાશિત થાય છે. अथवा गुरूप्रसादादिहैव समुन्मिपति नूनम् । गुरुचरणोपास्तिकृतः प्रशमजुषः शुद्ध चित्तस्य ।। અથવા જન્માંતરના સંસ્કાર સિવાય પણ ગુરુચરણની સેવા કરવાવાળા, શાંતરસ સેવનારા અને શુદ્ધ મનવાળાને ગુરુના પ્રસાદથી આ જ ભવમાં નિચે કરી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. तत्र प्रथमे त-त्वज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ।। પૂર્વ જન્મમાં પ્રથમ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભામાં પણ તત્વજ્ઞાન દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વજ્ઞાન માટે ગુરુની જ સદા સેવા કરવી. –શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય : યોગશાસ્ત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174