Book Title: Nirgranth Sampraday ni Prachinta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા હોવા છતાં કેટલાક શ્રમણ સંપ્રદાય હજી પણ એવા છે કે જેઓ પિતે પિતાની જાતને અવૈદિક જ માને મનાવે છે, અને વૈદિક વિદ્વાને પણ એમને અવૈદિક જ માને છે. આ સંપ્રદાયોમાં જૈન અને બૌદ્ધ મુખ્ય છે. ( શ્રમણ સંપ્રદાયની સામાન્ય અને સંક્ષિપ્ત ઓળખાણ એ છે કે એ ન તે અપરુષેય-અનાદિ રૂપે કે ઈશ્વરરચિત રૂપે વેદનું પ્રામાણ્ય સ્વીકારે છે, કે ન તે બ્રાહ્મણવર્ગનું જાતિને કારણે કે રહિતપણાને લીધે ગુરુપદ સ્વીકારે છે. જેવી રીતે કે વૈદિક સંપ્રદાય વેદો અને બ્રાહ્મણ પુરે હિતેના સંબંધમાં માને છે. બધાય શ્રમણ સંપ્રદાય પિતા પોતાના સંપ્રદાયના પુરસ્કર્તા તરીકે કઈ ને કઈ ગ્યતમ પુરુષને માનીને એનાં વચનને જ અંતિમ પ્રમાણરૂપ માને છે, અને જતિ કરતાં ગુણની પ્રતિષ્ઠા કરીને સંન્યાસી કે ગૃહત્યાગી વર્ગનું જ ગુરુપદ સ્વીકારે છે. નિર્ચથ સંપ્રદાય એ જૈન સંપ્રદાય કેટલાક પુરાવા પ્રાચીન કાળમાં શ્રમણ સંપ્રદાયની બધી શાખા-પ્રશાખાઓમાં ગુરુ કે ત્યાગી વર્ગને માટે સામાન્ય રીતે આ શબ્દ વપરાતા હતા ? શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, તપસ્વી, પરિવ્રાજક, અહંત, જિન, તીર્થકર વગેરે. બૌદ્ધ અને આજીવક સંપ્રદાયોની જેમ જૈન સંપ્રદાય પણ પિતાના ગુરુવર્ગને માટે પહેલાંથી જ આ શબ્દનો ઉપયોગ કરતો રહ્યો છે. આમ છતાં એક શબ્દ એવો છે કે જેને ઉોગ જૈન સંપ્રદાય જ પિતાના સમગ્ર ઈતિહાસ કાળમાં, પહેલાંથી તે અત્યાર સુધી, પિતાના ગુરુવર્યને માટે કરતે રહ્યું છે. એ શબ્દ છે “મિર્જન્ય' (નિક). જૈન આગમ પ્રમાણે ‘ નિમાય” અને બૌદ્ધ પિટકે મુજબ “વિઠ', એતિહાસિક સાધનોને આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે જેના પરંપરા સિવાયની ૧. આચારાંગ ૧, ૩, , ૧૦૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11