Book Title: Nirgranth Sampraday ni Prachinta Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 1
________________ ૩ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા મુખ્ય શ્રમણ સોંપ્રદાયા અને તેની ઓળખ બ્રાહ્મણ કે વૈદિક ધર્મોનુયાયી સ ંપ્રદાયના વિરાધી સંપ્રદાય, શ્રમણ સંપ્રદાય કહેવાય છે, જે ભારતમાં ઘણે ભાગે વૈદિક સંપ્રદાયના પ્રવેશની પહેલાંથી જ, કાઈ ને કાઈ રૂપમાં અને કાઈ ને કાઈ પ્રદેશમાં અવશ્ય અસ્તિત્વ ધરાવતા હતા. શ્રમણ સોંપ્રદાયની શાખાઓ અને પ્રશાખાએ અનેક હતી, જેમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક વગેરેનાં નામ જાણીતાં છે. શ્રમણ સંપ્રદાયની પ્રાચીન અનેક શાખાએ અને પ્રશાખાએ એવી હતી કે જે પહેલાં તા વૈદિક સંપ્રદાયની સાવ વિધી હતી, પણ ધીમે ધીમે એ, એક યા બીજે કારણે, વૈદિક સંપ્રદાયમાં હળીમળી ગઈ હતી. દાખલા તરીકે આપણે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયેનાં નામ દઈ શકીએ. પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમા વૈદિક સ ંપ્રદાયથી કેવળ ભિન્ન હતા એટલુ જ નહીં, પણ એને વિરાધ સુધ્ધાં કરતા હતા. અને એટલા માટે વૈદિક સ'પ્રદાયના સમ`ક આચાર્યા પણ પ્રાચીન વૈષ્ણવ અને શૈવ આગમોને વૈવિાધી માનીને એમને વેદમાહ્ય માનતા હતા; પણુ અત્યારે, આપણે જોઈ શકીએ છીએ કે, એ જ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયે તથા એમની અનેક શાખાએ બિલકુલ વૈદિક સપ્રદાયમાં મળી ગઈ છે. આ જ સ્થિતિ સાંખ્ય સ ંપ્રદાયની છે, જે પહેલાં અવૈદિક મનાતા હતા, પણ અત્યારે વૈદિક મનાય છે. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11