________________ જૈનધર્મને પ્રાણ કરીએ છીએ ત્યારે એ નવાઈ દૂર થઈ જાય છે. કોઈ પણ સંપ્રદાયે બીજા સંપ્રદાયને પૂરે ન્યાય નથી આપ્યો. એવું પણ બન્યું હોય કે મૂળમાં બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્ય ચતુર્યામને પૂરે અને સાચો અર્થ જાણતા હેય—એ અર્થ સર્વત્ર પ્રસિદ્ધ પણ –તેથી એ જણાવવાની જરૂર ન દેખાઈ હોય; પણ જેમ જેમ પિટકાનું સંકલન થતું ગયું તેમ તેમ ચતુર્યામનો અર્થ સ્પષ્ટ કરવાની જરૂર દેખાઈ હેય. કેઈ બૌદ્ધ ભિક્ષુએ, કલ્પનાને બળે, એના અર્થની પૂર્તિ કરી, એ જ આગળ જતાં જેમની તેમ ચાલુ રહી, અને કોઈએ એ ન વિચાર્યું કે ચતુર્યામનો આ અર્થ નિગ્રંથ પરંપરાને માન્ય છે કે નહીં? બૌદ્ધોના સંબંધમાં જેના હાથે પણ આવો વિપાસ થયેલ ક્યાંક કયાંક જોવામાં આવે છે. કેઈપણ સંપ્રદાયની માન્યતાનું પૂર્ણ સાચું રૂપ તે એના ગ્રંથો અને એની પરંપરાથી જાણું શકાય છે. દઔચિં૦ નં૦ 2, પૃ. ૫૦-પ૯, 97-100J 1. સૂત્રકૃતાંગ 1-2-2, 24-28, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org