Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ગામના લેખ. નં. ૩૪૪ ] (૨૩૦) અવલોકન વચ્ચે મંત્ર પ્રગમાં પરસ્પરની કુશળતા વિષે વાદ-વિવાદ થયે. તેઓએ પિતાની શક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલાણીના ખેડમાંથી બને જણાએ પોતપોતાના મતના આ મંદિરે, મંત્ર બલથી આકાશમાં ઉડાડયાં અને એવી પ્રતિજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે, તેની જીત થએલી ગણાશે. બંને જણાએ ત્યાંથી મંદિરે એક સાથે ઉડાડ્યાં પરંતુ શિવ ગોસાઈ, જૈન યતિની આગળ નિકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન યતિએ મંત્રવિદ્યાથી કુકડાને અવાજ કર્યો. તેથી ગોસાંઈ વિચારમાં પડે અને સૂર્યોદય થયે કે શું તે જેવા મંડે એટલામાં જૈન યતિનું મંદિર પણ તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિત પિતાના મંદિરે સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકો વારંવાર બેલ્યાં કરે છે તે આ પ્રમાણે संवत दश दहोत्तरो वदिया चोरासी वाद । खेडनगर थी लाविया नाडलाई प्रासाद ।।" આ દંતકથામાં જણાવેલી જેન યતિ સંબધી હકીક્ત તે ડેરક ગચ્છના યશોભદ્રસૂરિને ઉદ્દેશીને છે. સોહમકુલરત્નપટ્ટાવલિને લેખક પણ આ હકીક્તનું સૂચન કરે છે અને તેણે પણ આ કડી આપેલી છે. પરંતુ તેની આપેલી કડીમાં ઉત્તરાદ્ધ, આ કડી કરતાં જુદે છે. તે લખે છે કે . वल्लभीपुरथी आणियो ऋषभदेव प्रासाद । પરંતુ, યશોભદ્રસૂરિના રાસ લખનાર કવિ લાવણ્યવિજય આ હકીકત આપતા નથી જ્યારે તેમના ચમત્કારની બીજી ઘણી હકીકતે આપે છે. તથાપી લાવણ્યસમયના સમયમાં એ માન્યતા તે અવશ્ય પ્રચલિત હતી કે, આ મંદિર યશોભદ્રસૂરિ પિતાની મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડીને લાવ્યા હતા, કારણ કે, ઉપર ૩૩૬ નંબરવાળા ૬૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25