Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 264
________________ ચાર દિશાઓથી ૧૬ વિકલ્પ થાય છે. (૩) રત્ન પ્રભા પૃથ્વીની જેમ જ સાતે ય પૃથ્વીના ચરમાંતોથી ૨૦ જીવોના ૨૦ જીવોમાં જવાનો વિકલ્પ હોય છે. (૪) વીસ ભેદોમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અપર્યાપ્ત એ બે ભેદ અઢી દ્વીપમાં જ હોય છે. એટલે આ જીવો સંબંધી જવા આવવાના બધા આલાપક અઢી દ્વીપથી કહેવા. અર્થાત્ પૂર્વ પશ્ચિમના ચરમાંતથી ચરમાંતના ૧૮ ભેદ જ કહેવા. (૫) જીવોના ગમનાગમન શ્રેણીયો (આકાશ માર્ગ) થી થાય છે. તે શ્રેણીયો સાત પ્રકારની છે. (૧) ઋજુ આયતા—વગર વળાંકની સીધી શ્રેણી (૨) એક વળાંકવાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ સ્થાવર નાળવાળી (૫) બન્ને તરફ સ્થાવર નાળવાળી (૬) ચક્રવાલ (૭) અર્ધચક્રવાલ. છેલ્લી બન્ને ગતિ કેવળ પુદ્ગલની જ થાય છે. ચક્રવાલ ગતિ જીવની થતી નથી. (૧) પ્રથમ ઋજુ શ્રેણીથી જીવ અને પુદ્ગલ એક સમયમાં ગતિ કરે છે. (૨) એક વળાંકવાળીમાં વિગ્રહ ગતિથી જનાર જીવને બે સમય લાગે છે. (૩) બે મોડ વાળીમાં ત્રણ સમય લાગે છે. (૪) એક તરફ સ્થાવર નાળમાં જવાથી ૧-૨-૩ સમય લાગે છે. (૫) બે તરફ સ્થાવર નાળમાં જનારને ૩ અથવા ૪ સમય લાગે છે. અર્થાત્ સ્થાવર નાળમાં સમ દિશામાં ૩ સમય અને વિષમ દિશામાં ૪ સમય લાગે છે. (૬) પૂર્વથી પશ્ચિમમાં ૧,૨,૩ સમય, પૂર્વથી પૂર્વમાં ૧.૨.૩ સમય અને પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં ૨.૩ સમય વિગ્રહ ગતિમાં લાગે છે. મનુષ્ય લોકથી રત્ન પ્રભા પૃથ્વીમાં જીવને જવા આવવામાં ૧,૨,૩ સમય લાગે છે. (૭) પહેલી નરક પૃથ્વી પિંડ ની જેમ બીજી પૃથ્વીનું વર્ણન છે પરંતુ અહીં મનુષ્ય ક્ષેત્રથી સંબંધિત વિગ્રહ ગતિમાં ૨,૩,૪ સમય લાગે છે. ઉપર નીચેતિરછા વિદિશા વિષમ શ્રેણીમાં ૨,૩,૪ સમય લાગેછેઅને દિશા સમ શ્રેણીમાં ૧૨,૩ સમય લાગે છે. (૮) ત્રસ નાળથી ત્રસ નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. સ્થાવર નાળથી ત્રસનાળમાં ૧.૨.૩સમય લાગે છે. સ્થાવર નાળથી સ્થાવર નાળમાં ૧.૨.૩ સમય લાગે છે. પરંતુ વિષમ શ્રેણીમાં અથવા વિદિશામાં અથવા વિદિશા વિષમ ઉપર નીચે તિરછામાં ૨.૩ સમય અથવા ર.૩.૪ સમય અથવા ૩.૪ સમય લાગે છે. (૯) નીચે સ્થાવર નાળથી ત્રસ નાળમાં થઈ બીજી તરફ ઉપર સ્થાવર નાળમાં જવામાં સમ શ્રેણીથી સમ શ્રેણી હોય તો ત્રણ સમય અને એક તરફ વિષમ વિદિશ હોયતો ઓછામાં ઓછા ચાર સમય લાગેછે.સ્થાવરનાળમાં એકતરફ વિદિશાનો મોડ લેવાય છે. બન્ને તરફ વળાંક લેવાની આવશ્યકતા હોતી નથી. એટલે લોકમાં સ્થાવર ત્રસ નાળમાં કયાંથી પણ જીવને કયાં પણ જવુ હોય તો ૪ સમયમાં પોતાના જન્મ સ્થાન પર જીવ પહોંચી શકે છે. પાંચ શ્રેણીઓની ગતિમાં લોકમાં જીવ અને પુદ્ગલને ઉત્કૃષ્ટ ૪ સમયજ પહોંચવામાં લાગેછે. આથી વધારે મોડજીવઅજીવની ગતિમાં બનતા નથી.ત્યારે જ આખાયલોકમાં વ્યાપ્ત થનાર ભાષા પુદ્ગલ, અચિત ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304