Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 265
________________ મહાત્કંધને અને કેવળી સમુદ્યાતમાં આત્મ પ્રદેશોને ૪ સમય જ લાગે છે. (૧૦) પાંચ સમયની વિગ્રહ ગતિની કલ્પના પણ અગર કોઈ જીવ માટે કરે તો તે સિદ્ધાંત સાપેક્ષ નથી. મન કલ્પિત તથા ભ્રમ પૂર્ણ છે. કારણ કે ત્રણ સમયમાં તો સંપૂર્ણ આત્મ પ્રદેશ પણ આખા લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. કેવળ નગણ્ય સ્થાન, ખુણા, લોકત નિષ્ફટ અવશેષ રહે છે. જે ચોથા સમયમાં પૂર્ણ કરાય છે. એટલે ૫ સમયની કલ્પના તો અસત્કલ્પના જ છે. (૧૧) ચક્રવાલ કે અર્ધચક્રવાલ ગતિથી પણ પુદ્ગલ ગન્તવ્ય સ્થાનમાં જઈ શકે છે. - સાત પૃથ્વીની જેમ જલોકનાચરમાંતથી ચરમાંત પણ કહેવા.એમા ૧.૨.૩.૪ અથવા ર.૩૪ અથવા ૩.૪ સમયની વિગ્રહ ગતિ થાય છે. (૧૨) આ ૨૦જીવના સ્વ સ્થાન પ્રજ્ઞાપના પદ૨ ના અનુસાર જાણવા. (૧૩) આજીવોના આઇકર્મોની સત્તા, ૭અથવાટકર્મના બંધ, ૧૪ બોલ (કમ)નો ઉદય, તેંત્રીસમા શતકસમાન છે.એની આગતિ–ગતિ પ્રજ્ઞાપના પદની અનુસાર છે. એમાં સમુદ્યાત ૩ તથા બાદર વાયુના પર્યાપ્તમાં ૪ છે. (૧૪) ઉમ્ર તથા ઉત્પન્નની ચૌભંગી :- (૧) સરખી ઉમરવાળા અને સાથે ઉત્પન્ન. (ર) સરખી ઉમરવાળા વિષમ ઉત્પન્ન. (૩) વિષમ ઉમરવાળા સાથે ઉત્પન્ન. (૪) વિષમ ઉમર અને વિષમ ઉત્પન્ન, આ ચીભંગી છે. પહેલા ભંગવાળા સરખી સ્થિતિવાળા હોય છે અને સમાન ત્થા વિશેષાધિક કર્મ બંધ કરે છે. બીજાભંગવાળા સરખી સ્થિતિવાળા હોય છે. પરંતુ કર્મબંધવિમાત્રામાંવિશેષાધિક કરે છે. ત્રીજા ભંગવાળા અસમાન ઉંમરવાળા હોય છે. પરંતુ સાથમાં ઉત્પન્ન થયેલા હોવાથી સમાન તથા વિશેષાધિક કર્મબંધ કરે છે. ચોથા ભંગવાળા અસમાન ઉંમરવાળા હોય છે અને વિમાત્રાથી વિશેષાધિક કર્મબંધ કરે છે. (૧૫) અનત્તરોત્પનવિગેરે ચારે ઉદ્દેશાનું વર્ણન પણ ઉપર કહ્યા પ્રમાણે વિધિથી જાણવું. પરંતુ એમા ભેદ૧૦જ કહેવા ર૦નહીં. ૭કર્મનાબંધ જ કહેવાઆઠ કહેવા નહીં. સમુદ્યાત ત્રણ જ થાય છે ચાર નહીં. ચૌભંગીના પણ બે ભંગ જ થાય છે. પહેલો બીજો. કારણ કે અનન્તરોત્પન્ન કહેલા બધા સાથમાં જ ઉત્પન્ન થાય છે. એક દિશાથી બીજી દિશામાં ઉત્પન્ન થવાના વિકલ્પો સંબંધી વર્ણન અહીં કહેવું નહીં. કારણ કે એ મરતા નથી. પરમ્પરોત્પન્નક બન્યા પછી મરે છે. (૧) પરંપરાત્પન્નક આદિઃ ઉદ્દેશામાં ઔધિકની જેમ જ સંપૂર્ણ વર્ણન જાણવું. (૧૭) લેશ્યા ભવી અભવનાવિકલ્પથી કુલ ૧ર અવાંતર શતક અને એના ૧૧-૧૧ તથા ૯૯૯ઉદ્દેશા ૩૩માં શતકની જેમ જ થાય છે. વિષય વર્ણન પ્રસ્તુત પ્રકરણના ઉદ્દેશા અનુસાર જાણવા. | શતક ૩૪ સંપૂર્ણ ભગવતી સૂત્રઃ શતક-૩૪ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304