Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨)
ગાને લીધે જગત આકુળવ્યાકુળ થાય, વરસાદ થોડા થાય અને લાકે નજીવી વાતમાં ક્રોધે ભરાય. વિશ્વાવસુ સંવત્સરમાં વરસાદ સારો થાય પણ કપાસના ભાવ આકરા બોલાય. પરાભવ નામના સંવત્સરમાં મંડલેશ્વર તથા રાજ્યના બીજા અધિકારીઓથી પ્રજા કણ પામે.
બલવંગ સંવત્સરમાં ગ્રીષ્મ ઋતુ તથા વસંત ઋતુમાં પાણી પડે, તેથી ઘાસ અને ધાન્ય નાશ પામે, પ્રજામાં દુઃખ અને બેચેની ફેલાય. કીલક સંવત્સરમાં વરસાદ પુષ્કળ થાય. પણ રાજ્ય તરફનો ઉપદ્રવ બધી જગ્યાએ પ્રવર્તે ! સૌમ્ય સંવત્સ૨માં સઘળાં પ્રકારનાં ધાન્ય પાકે, આરોગ્ય રહે અને વરસાદ પણ જોઈએ તેટલે વરસે. સાધારણ સંવત્સરનું ફળ નામ પ્રમાણે જ જાણી લેવું. અર્થાત્ વરસાદ ઠીક ઠીક થાય અને ધાન્ય પણ ઠીક ઠીક પાકે. વિરેધકૃત સંવત્સરમાં વિશાક મહિનાથી વરસાદ શરૂ થાય, અને ચેતરફ એક સરખે વરસે માત્ર કાન્યકુબજ દેશમાં વિરોધ શાંત ન થાય. પરિધાવી સંવત્સરમાં ક્ષેમ, આરેગ્ય, ધનધાન્ય તથા ઈષ્ટ મિત્ર વિગેરેને લાભ થાય. પ્રમાદી સંવત્સરમાં સંપૂર્ણ અનાજ પાકે. સુકાળ તથા સુખ વિષે કંઈ બાકી ન રહે. આનંદ સંવત્સરમાં ધાન્ય ઘણું મેંઘું થાય, ખેતીને નાશ થાય, ઘી તેલ માંધાં મળે, બાકી બીજી રીતે પ્રજા ક્ષેમકુશળ રહે. રાક્ષસ સંવત્સરમાં કેદર, ભાત, મગ વિગેરે ધાન્ય તથા પશુ વિગેરે પ્રાણી વિનાશ પામે. પિંગલ સંવત્સરમાં વરસાદ ન થાય. ગાય, ભેંસ, સેનું
For Private And Personal Use Only

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114