Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આíદો અશોક એની આંખો ધુમાડાથી લાલચોળ થઈ ગઈ હતી. એના હાથ-પગ ઠેરઠેર દાઝી ગયા હતા. એણે બંને બાળકોને એમની માતાને સોંપ્યાં. રડતીકકળતી માતાએ બાળકોને છાતીસરસા ચાંપી દીધાં. સોળ વર્ષના નારાયણમાં બાળકોની માતાએ નારાયણ - ભગવાન - દીઠા. માતાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. આનંદનાં આંસુ ! એણે નારાયણને અંતરથી કેટલાય આશીર્વાદ આપ્યા. નારાયણની હિંમત જોઈને બધા કહેવા લાગ્યા, “શાબાશ ! છોકરા, શાબાશ ! ખરેખર, ન નમે તે છે નારાયણ પ્રસાદ છે.” સોળ વર્ષના નારાયણ પ્રસાદને અનેરી વીરતા બતાવવા માટે ભારત સરકાર તરફથી ચંદ્રક મળ્યો. પાંચ ભાઈઓમાં સૌથી નાનો નારાયણ પ્રસાદ અભ્યાસમાં પણ એટલો જ આગળ છે. મોટા થઈને ડોક્ટર બનવાની એને ઇચ્છા છે. બાળપણમાં એણે પોતાની હિંમતથી બીજાઓની સેવા કરી, મોટો થઈને પોતાના જ્ઞાનથી, ડૉક્ટર બનીને પણ એ ગરીબ અને નિરાધારની સેવા કરવાનો વિચાર રાખે છે. ૩. 0 0 0 0 000000ાઉથgg * ૧૮૫૮ની ૧૪મી નવેમ્બર. ૧૪મી નવેમ્બર એટલે ૫. જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. પં. નહેરુ તો બાળકોના પ્યારા ચાચા. બાળકો એમને જેટલો પ્રેમ કરતા, એટલા જ એ છે બાળકોને ચાહતા હતા. બાળકોના પ્યારા ચાચાનો જન્મદિવસ એ બાળદિન ગણાયો. એ બાળદિનની યાદમાં એક ટિકિટ બહાર પડી. 0 0 0 0 01 ૨૨ = 0 0 0 0 0 0 0 0 0ા મોતને હાથતાળી આનંદી અશોક -0-0-0-0-0-0-0 ૨૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22