Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 6
________________ નિવેદન સૌજન્યશીલ સારસ્વત અને વિશ્વવિખ્યાત વિભૂતિ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાજીની પ્રેમાળ છત્રછાયામાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે હંમેશાં હૂંફ અનુભવી હતી. અમને સાત દાયકા સુધી સતત તેમનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. પં. સુખલાલ સંઘવી અને પં. બેચરદાસ દોશીની જેમ જ પં. માલવણિયાજી પણ માતૃભાષાનું ગૌરવ વધે અને ગુર્જરગિરા વધુ સમૃદ્ધ બને તેવું ઇચ્છતા હતા. પં. માલવણિયાજી દર્શનશાસ્ત્રના આરૂઢ વિદ્વાન હતા છતાં પણ સરળ ગૂર્જરભાષામાં લોકભોગ્ય સાહિત્ય નિર્મિત થાય તે માટે અમને સતત પ્રેરણા આપતા હતા. પં. સુખલાલ સંઘવીજીના લેખોનો સંગ્રહ દર્શન અને ચિંતન' ભા.૧-૨માં છપાયા હતા. તેનું કદ વિશાળ હતું, ઘણા વાચકો એ વિશાળકાય ગ્રંથોના વાચનથી વંચિત ન રહે તે માટે તેમણે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ તૈયાર કર્યું હતું જે “જૈનધર્મના પ્રાણ' નામે પ્રકાશિત કરવાનો અમને અવસર મળ્યો હતો. પંડિતજીના લેખોમાં દર્શનના ગહન પદાર્થોનું રહસ્ય અને ભારતીય દર્શનોની તુલનાત્મક દૃષ્ટિએ સૂક્ષ્મ વિચારણા જોવા મળે છે. તેમના લેખો સુલભ ન હોવાથી પસંદગીના લેખો છાપવાનો અમે વિચાર કર્યો. આ વિચાર અમે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિદેશક શ્રી જિતેન્દ્ર બી. શાહને જણાવ્યો. તેમણે અમારી ભાવનાને સહર્ષ સ્વીકારી લીધી. આ ગ્રંથમાં સમાવિષ્ટ લેખોનું સંપાદનકાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું તે માટે અમે તેમના આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના સ્ટાફનો સક્રિય સહયોગ મળ્યો છે તે માટે તેમના પણ આભારી છીએ. – પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 269