Book Title: Mangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Author(s): Balabhai Virchand Desai
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ મંગલ જીવન કથા મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જાગૃત કરવા આવેલા ખરાબ સ્વપ્ન તરીકે જ ગણી કાઢવી. તમે જાગે છે ત્યારે સ્વપ્ન ક્યાં છે?” અને વહાલા વાચક! પરિણામમાં જે હીરે તે તે આજે હીરે જ રહ્યો અને નકલી હીરા બિચારા પિતાનું નૂર ગુમાવી બેઠા. જે પોતે સમજે છે કે હું ખરાબ નથી તેને ભલે એક વખત દુનિયા ખરાબ કહે પણ તેથી તેને કાંઈ નુકશાન થતું નથી. અરે ! આ ચક્કરમાં તીર્થકર જેવા સમર્થ જ્ઞાનીઓ પણ આવી ગયા છે તે મનુષ્ય કેણ માત્ર ? અગર કેવળ સારાની જ દુનિયા હેત તે તેને ઉદ્ધાર ક્યારને થઈ ગય હેત. એ તે ખરાબ વગર સારાની પરીક્ષા ન હોય. અમાવાસ્યાનાં ઘોર અંધારા સિવાય ચંદ્રનું મૂલ્ય કેમ અંકાય ? આપણા મુનિરાજશ્રી આ વાતના સમજદાર હેવાથી આ જ સુધી શાન્ત રહેવા પામ્યા છે અને તેઓશ્રી સમાજને સારાં સારાં પુસ્તક આપી શક્યા છે. તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણદિના ઘણા ગ્રંથે ગુજરાતીમાં યા અન્ય ભાષામાં ગુજરાતિ પ્રજાના હિતાર્થો લખ્યા છે. ન્યાય વ્યાકરણ જેવા વિષય ભાષામાં ઉતારવા એ ખરેખર બહુ કઠિન બાબત છે. તે સાથે તેઓશ્રીએ દર્શન પર પણ પુસ્તકો રચ્યાં છે. પિતે ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષાના કવિ પણ છે. તેઓશ્રીએ રાસ તથા અન્ય પુસ્તક પદ્યમાં પણ લખ્યાં છે. તેની વિસ્તૃત સૂચી અત્ર આપવામાં આવેલ છે. આવી રીતે આજ દિન પર્યક્ત તેઓશ્રી પિતાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ એકધારી વધારી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46