________________
notated them, and produced a scholarly work. These are but two out of such six Padpurti Poems.
K. M. J. Vol. XLI. The Modern Review. No. 2 February 1927.
(૪). વીરભક્તામર અને નેમિભક્તામર, કે જે માનતુંગસૂરિના સુપ્રસિદ્ધ “ભક્તામર' નામથી ઓળખાતા આદીશ્વરસ્તોત્રનાં પાદપૂર્તિરૂપ સ્તોત્ર-કાવ્યું છે. વિક્રમના ૧૮ મા સૈકાના પ્રારંભમાં વિદ્યમાન ધર્મવર્ધનગણિ અપરના વાચકધમસિંહની અને એજ સિકાના અંતમાં વિધમાનભાવપ્રભસૂરિની સ્વપજ્ઞ વૃત્તિ સાથેની ઉપર્યુક્ત બન્ને કૃતિ “આગમેદયસમિતિ દ્વારા ગત વર્ષમાં પ્રકાશમાં આવેલી છે. એ ઉપરથી ૧૮ મા સૈકામાં પણ જૈન વિદ્વાનો ભક્તિરસ અને વિદ્યાવ્યાસંગ કેટલો ઉચ્ચ પ્રકારને હવે એ પ્રકાશમાં આવ્યું.
પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ્.એ., એમણે સંશોધન, ભાષાંતર અને વિવેચન કરી આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતામાં બહુ પ્રશંસનીય પ્રયત્ન દ્વારા સફલતા મેળવી છે એમ કહેવું જોઈએ. સ્પષ્ટીકરણસાધનીભૂતગ્રંથસૂચીમાં વામ્ભટાલંકારના કર્તા વાટને અપાયેલું મુનિવિશેષણ તથા પ્રભાવક્યરિત્રના પ્રણેતા તરીકે ચંદ્રપ્રભસૂરિનું નામ, કે જે નિર્ણયસાગરની આવૃત્તિના ટાઈટલ પેજની ભૂલ પરથી ઉતરી આવ્યું જણાય છે, તે અમને ખટકે છે. તેવી ભૂલ બાદ કરીએ તે કહી શકાય કે અનુવાદકે પ્રસ્તાવના, ઉપધાત, વિષયસૂચી, પરિશિષ્ટ, ગ્રંથસૂચી વિગેરે દ્વારા અને ભાષાંતરની આદર્શ શૈલી દ્વારા પિતાની સાક્ષરતાને પરિચય કરાવ્યું છે. સાથે અન્ય ગ્રંથ પ્રકાશકેને, સંપાદકોને અને અનુવાદકોને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આશા છે કે કાવ્યસંગ્રહના આવા જ બીજા વિભાગને થોડા વખતમાં દૃષ્ટિગોચર કરીશું. આવા ઉત્તમ ગ્રંથને પ્રકાશમાં લાવવા માટે સંસ્થાને તથા સંપાદકને અભિનંદન ઘટે છે. વિરસં. ૨૪૫૩, જયેક શુ.૧૧. કાઠી પિળ, વડોદરા. 5
લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી.
(૫) કાવ્યસંગ્રહ ભાગ ૧ લે, ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ, સંશોધન કરનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, પ્રસિદ્ધ કરનાર શાહ વેણચંદ સૂરચંદ મુંબાઈ, આગોદય સમિતિ, મૂલ્ય રૂ. ૩). આ સંગ્રહમાં મુખ્ય બે કાવ્ય સમાવ્યાં છે. શ્રી ધર્મવર્ધનગણિકૃત વીર-ભક્તા તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિ-ભક્તામર. પરિશિષ્ટમાં ભક્તામર સ્તોત્ર તથા ગિરિનાર ગિરીશ્વર કલ્પ એ બેના મૂળ પાઠ આપેલા છે. ભક્તામરને મૂળ પાઠ પ્રાસંગિક છે, કેમકે એના પરથી પહેલાં બે કાવ્યને વિષય સુલે છે.
વીર-ભક્તામરમાં ચાવીસમા તીર્થંકર મહાપ્રભુ શ્રીવીરનું જીવનચરિત્ર આપેલું છે. નેમિભક્તામરમાં રામતીની સાથે પરણવાને માટે નેમિનાથ મંડપ સુધી આવી પાછો રથ ફેરવી જાય છે, તે વખતે રાજીમતી ઉન્મત્ત દશામાં વિરહના ઉદ્ગાર કાઢે છે, સાથે સાથે શ્રીકૃષ્ણની રાણીઓનાં વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org