Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 266
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૫ તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હવા એગ્ય છે. તેમ ચે વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હેય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવાયેગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તે પૂર્વે નિષેધી દેખાડયું છે. પ્રકૃતિ નહીં, તે અંતઃકરણદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તે તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણદિરૂપે પ્રથમ ઠરે જ કયાંથી? ચેતન જે કર્મવળગણુનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહીં, તે કંઈ તે વળગણમાં મનન કરવાને ધર્મ નથી, તે તે માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મને કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દષ્ટિએ વિચારશે તે અમારાં આ વાક્ય તમને બ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્થતા લાગશે અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જે કઈ પણ પ્રકારે આત્માનું કર્મનું સ્વપણું ન હોય, તે કઈ પણ પ્રકારે તેનું ભકતૃત્વપણું પણ ન કરે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300