Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 280
________________ ર૪૯ આત્મસિદ્ધિ શાસ્ત્ર નિવૃત્તિ થાય તે જ ક્ષને માર્ગ છે. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મેક્ષપંથ તે રીત. ૧૦૧ “સ” એટલે “અવિનાશી,” અને “ચતન્યમય” એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય' “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંગના આભાસથી રહિત એ, કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં, છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મેહનીયકર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેને પાઠ કહું છું. ૧૦૨ કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ તે મેહનીય કર્મ બે ભેદે છે–એક “દર્શનમેહનીય એટલે “પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ, બીજી “ચારિત્રમેહનીય'; “તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રેધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નેકષાય તે ચારિત્રમેહનીય. દર્શન મેહનીયને આત્મબેધ, અને ચારિત્રમેહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબાધ તે દર્શનમેહનીય છે, તેને પ્રતિપક્ષ સત્યાત્મબોધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300