________________
૨૫૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. ૧૨૫
હું પ્રભુના ચરણ આગળ શું થયું ? (સદ્ગુરુ તો નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિમૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આ તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન વતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬
આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુને દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬
ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭૧
છએ સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદે બતાવ્ય; આપે મપાઈ શકે નહીં એ ઉપકાર કર્યો. ૧૨૭
૧. આ “આત્મસિદ્ધશાસ્ત્રી શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે.
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષ કાજ, તથા ભવ્યતિત કારણે, કહે બાધ સુખસાજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org