Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 270
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૯ જીવને કર્મને કર્તા કહીએ તોપણ તે કર્મને ભક્તા જીવ નહીં કરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય? અર્થાત્ ફળદાતા થાય? ૭૯ ફળદાતા ઈશ્વર ગયે, ભક્તાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ફળદાતા ઈકવર ગણીએ તે ભક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભગવાને તેથી જીવ કર્મનો ભક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણુએ તે તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. ૮૦ “ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કેઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી, એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા એગ્ય છે – જે કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈકવરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈકવરને દેહાદિ અનેક પ્રકારને સંગ થવે સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાને ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિને કર્તા નથી, જે પરભાવાદિને કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈકવર પણ પરને ફળ દેવા આદિરૂપ કિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે, તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉછેરવા જેવી સ્થિતિ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300