________________
[ મેવાડ રાજ્યમાં આશાશાહ અને ભામાશાહની અંગત મદદોને બાદ કરતાં ધાર્મિક અસર પણ પુષ્કળ છે. પર્યુષણમાં અમારી પડહનું વાગવું, કઈ પણ કિલ્લો બંધાય ત્યારે પહેલું આદીશ્વર ભગવાનનું મંદિર બાંધવું, જૈન બાળકને હાથે ચિહ્નિત કઈ પણ પ્રાણી અમર જ થાય, તેને કોઈ મારી જ ન શકે. મારનાર અને રાજ્યતેજ વચ્ચે ઘર્ષણ થાય, ગોબ્રાહ્મણ તરફ ભક્તિ ભાવે જેવાય, કેશરીઆઇ તીર્થ માટે, અસાધારણ ભક્તિ, અને તપાગચ્છના મુખ્ય શ્રાવક તરીકે કહે કે ભારતીય ચક્રવર્તી રાજ્યના અવશેષ તરીકેની. તીર્થકરના ધર્મના મુખ્ય પ્રતિનિધિ આચાર્ય સંસ્થા પ્રત્યેની ફરજને અંગે કહો. પણ સામૈયામાં ગાદીપતિએ સામે જવાનો રીવાજ વિગેરે. ખરેખર જૈનધર્મની અસરના જમ્બર અવશેષો છે.
એવી જ રીતે કચ્છમાં પણ રાજ્ય કુટુંબ તરફથી બંધાએલ દેરાસર, દશેરાની સવારી વખતે નગરશેઠની દુકાન પાસે બે મીનીટ સવારીની સ્થિરતા, સિક્કામાં જૈનલિપિ, રાજકુમારને પૌષધશાળાએજ પ્રથમ ભણવા બેસારવાનો રીવાજ, દરરોજ રાજ્યમાં જેન સ્મરણને પાઠ. વિગેરે જેની અસરના સ્પષ્ટ ચિહ્નો જોવામાં આવ્યા છે. અન્યત્ર પણ અનેક ચિહ્નો પથરાયા છે. મહાજનની આમ્નાય તે અનેક સ્થળે સ્વીકારાઈ જ છે. હવે ભવિષ્યમાં તે કેવું સ્વરૂપ લેશે ? તે આગળના પ્રકરણમાં સમજાવીશું ]
વળી વખતેવખત કુનેહથી સંઘના બંધારણની રૂએ બ્રાહ્મણ વિગેરે જુદી જુદી કેમ સાથે ઘટતી સંધિથી સહકારમાં આવતા હતા.ગો, મતે, પંથ,તથા રાજાઓ, પરદેશીઓ વિગેરે સાથે ઘટતી એવી સંધિ કરી લેતા, કે પિતાના આંતર વહીવટમાં વધે ન આવે, અને બીજાઓ સાથે અતડાપણું ન થાય. એ ભારે ખૂબી હતી.
મુસહ્માનેએ શહેરમાં ગાયની કુરબાની ન કરવી, અને એવી બીજી મહાજનની આજ્ઞાઓ જાળવવી, ત્યારે મહાજન તરફથી એ બંદોબસ્ત કે કોઈ હિંદુ મરજીદ પાસેવાઈ ન વગાડે વિગેરે.
1 મુસલ્માનોની મરજીદ પાસે વાજાં ન વગાડવા, તેઓએ શહેરમાં ગેવધ ન કરે અને મહાજનની બીજી આજ્ઞા જાળવવી. સંધિથી મહાજનાના એવા કરા હતા. તેમાં ગાબડાં પડતાં હિંદુ મુસલમાનોના ઝઘડા થઈ ગયા. એ ઠરાવો કેર્ટીના નહોતા. એટલે તેને વજન આપવું ન આપવું તેની ઇચ્છા ઉપરગણાય. તેથી મહાજનને કાયદે તેડીને હિંદુઓ વાજાં વગાડે.
૩૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org