________________
૬૮૮
જિન શાસનનાં
કર્યું છે. તેમણે તો કપિલાદિના સન્માન સાથે ચાર્વાકને ય મેઘવિજયજી પણ મહાન સમન્વયવાદી હતા. સ્વરચિત દર્શનમાં સ્થાન આપી ઉદારતા બતાવી છે. પોતે ઈશ્વરકત્વવાદ‘વીતાને તેમણે મગવદ્ગીતા કહી છે. આવાં મના ર્ધામિ માવીતે!! (૨) તેમણે સાપેક્ષપણે વિચારતાં જૈન સંમત દ્રવ્યવાદ અને વેદાંત સંમત બ્રહ્મવાદ બંનેને એક સરખા માન્યા છે. ધર્માંડધડસ્તિાયો વા તથવયં દ્રઢાળે મતમ્— (બ્રહ્માંડાંડ ૧૧-૧૧)
ન માનતા હોવા છતાં અન્ય દર્શનો સાથે સમન્વય સાધવા પ્રયાસ કરતાં.....આત્વવ વેશ્વર: સ च कर्तेति निर्दोषः તૃત્વવાો વ્યવસ્થિતઃ । કહ્યું.
આમ તટસ્થ ચર્ચા-વિચારણામાં અનુચિત વિધાન વગર અન્ય દર્શનોના મહર્ષિઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે. આથી પં. સુખલાલજીએ એમના પ્રવચનોમાં ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર' કહ્યા છે. (આ ગ્રંથ અવશ્ય દર્શનીય છે) મહાવીરના ઉત્તરાધિકારીની રીતે તેમણે સમન્વયાત્મક પ્રયાસો કર્યા છે.
૧૧-૧૨મી સદીમાં હેમચંદ્રાચાર્યે પણ આ દિશામાં અતિપ્રશસ્ત કાર્ય કર્યું છે. તત્કાલીન બ્રાહ્મણ-જૈન પરંપરાના મજબૂત વાતાવરણમાં પણ તેમણે તાટસ્થ્ય અને ઔદાર્ય દાખવ્યું છે. સિદ્ધરાજ સાથે સોમનાથ મહાદેવની સ્તુતિ......બ્રહ્મા વા વિષ્ણુર્વા કરો બિનો વા નમસ્તસ્મૈ। . વીતરાગ પરમાત્મા પછી કોઈ પણ નામે હોય, આચાર્યને માટે વંદનીય છે.
૧૭મી સદીમાં ઉપા. યશોવિજયજીએ પણ ‘પરમાત્મપચ્ચીસી’માં સહૃદયી ઉદારતા બતાવી સદ્ભાવપ્રેરક વાતાવરણ ઊભું કર્યું હતું. તેઓ પણ સામ્પ્રદાયિક સીમાડાઓમાં બ ન હતા.
बुद्धो जिनो हृषिकेशः शम्भुर्ब्रह्मादिपुरुषः ।
इत्यादि नामभेदेऽपि नार्थतः स विभिद्यते ॥
અરે, યશોવિજયજીએ તો શ્વેતાંબર દિગંબર પંથોના ઐક્યની વાત કરી હતી. પં. સુખલાલજીના મતે એમની વિદ્યાર્દષ્ટિ સાંપ્રદાયિક ન હતી, તેમણે પાતંજલ યોગ' અને દિગંબર ‘અષ્ટસહસ્ત્ર’ ઉપર ટીકાઓ લખી છે. (‘યશો. સ્મૃતિ ગ્રં.’માંથી) તેમના વિશાળ અધ્યયનમાં જૈનેતર ગ્રંથોનો સમાવેશ જાણીતી વાત છે.
અનેકાન્તવાદનું સ્વરૂપ શંકરાચાર્યને સંશયાત્મક લાગ્યું તો તેને આધારે જ સમન્વયવાદી જૈનાચાર્યો, સિદ્ધસેન, સમન્તભદ્ર, અકલંક, હરિભદ્ર આદિએ મતાંતરો દૂર કરી સમન્વયવાદી વાતાવરણ ઊભું કર્યું; તેમણે સૌમ્યતાથી વિનમ્ર રીતે અનેકાન્તવાદનાં રહસ્યોને ઉજાગર કર્યાં તેમ જ અનેક અન્ય દર્શનોમાં પોતાના ‘નય' જોઈ આવકાર્યાં...ચાર્વાક જેવા નાસ્તિક
દર્શનનેય અમુક અંશે માન્ય કર્યું! એમાં ‘વ્યવહાર'નય જોયો !! ૧૮મી સદીમાં હીરવિજયસૂરિજીની પરંપરામાં મહાકિવ
Jain Education Intemational
વળી તેમણે અર્દર્ ગીતામાં જિન-શિવનું ઐક્ય વ્યાકરણ ચાતુરીથી બતાવ્યું છે. ં બિનઃ શિવૉડનાન્યો (અ. ૨૭-૧૬) જિનનો 'જ' અને ‘ઇ’ શિવનો ‘શ' અને ‘ઈ' બંને તાલવ્ય, તથા જિનનો ‘ન' અને શિવનો ‘વ’ બંનેનું દંતસ્થાન સરખું અથવા એમનું અનુનાશિકાનું સ્થાન પણ સરખું-તેથી જિન, શિવ વચ્ચે કોઈ ભેદ નથી-આ છે તેમની સમન્વય ભાવના.
આગમ સાહિત્ય : પરવર્તી સાહિત્ય આગમ સાહિત્ય
જૈનધર્મનું અસલ સ્વરૂપ આધ્યાત્મિકતા પર મંડિત છે. તેના ઉદ્ઘોષકો તીર્થંકર પરમાત્માઓ છે. અનંત ચોવીસી તીર્થંકર પરંપરાનું અને પ્રાગૈતિહાસિક કાળનું કશું જ્ઞાન-સાહિત્ય આપણી પાસે નથી આવ્યું. વિશાળ સાહિત્ય રાશિમાંથી આપણી સમક્ષ આચમન પણ નથી આવ્યું! ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીર પછીનું સાહિત્ય-આગમસાહિત્ય પણ પૂર્ણ પ્રાપ્ત નથી, એ સમગ્ર માનવજાતની કમનસીબી છે.
મહાવીરના નિર્વાણ પછી ૯૯૩-મતાંતરે ૯૮૦ પછી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીપુરમાં આગમશાસ્રો ગ્રંથસ્થ થયાં. મહાવીર શિષ્યો-ગણધરોએ મૂળ બાર અંગસૂત્રો તથા બાર ઉપાંગસૂત્રોની રચના કરી; તેમાંથી બારમું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયું. હાલમાં અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગો અને એમ પિસ્તાલીસ આગમગ્રંથો છેલ્લા ૫૦૦ વર્ષથી માન્ય છે.
આગમગ્રંથો . આધ્યાત્મિક જ્ઞાન ઉપરાંત આત્મહિતકારી બાબતો માનવજીવનને ઉન્નત બનાવી મોક્ષમાર્ગાભિમુખ કરે એ હેતુથી અલૌકિક જ્ઞાનથી સમૃદ્ધ છે. આ સિવાય સર્વોપયોગી શાસ્ત્રોના અપૂર્વ જ્ઞાનનું નિરૂપણ પણ અનન્ય છે. થોડાંક દૃષ્ટાંતો જોઈએ ‘રાજપ્રશ્નીયસૂત્ર'માં શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નાટ્ય નૃત્ય અંગેનું અસાધારણજ્ઞાન ‘ભરતનાટ્યમ્’ની યાદ અપાવે છે. આ સાર્વજનિક-વ્યવહારું જ્ઞાન છે પણ ઉદ્દેશ અપૂર્વ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org