Book Title: Jin Shasanna Mahapurushona Jivan Prasango
Author(s): 
Publisher: Bhuvanbhanusuri

View full book text
Previous | Next

Page 12
________________ મહાત્મા ગજસુકુમાલ (ક્ષમા) મહાત્મા ગજસુકુમાલ (ક્ષમા) (૧) ગજસુકુમાલના પિતા વસુદેવજી, માતા દેવકી, ભાઈ કુષ્ણજી અને બીજા અનેક સામંત રાજા ઓ વિગેરે સ્નેહથી આતુર નયને ગજસુકુમાલની રાહ જોતા બેઠા છે. તેટલામાં સહેલગાહથી પાછા આવતા ગજસુકુમાલને જો ઈ સૌ આનંદમાં આવી ગયા. કેટલું સન્માન! કેટલો વૈભવ ! નથી કોઈ સંસારની મુશીબતનું નામ નિશાન! (૨) ગજસુકુમાલની સગાઈ થઈ ચૂકી હતી. પણ ભગવાન શ્રી નેમિનાથના ઉપદેશથી તેઓ વિરાગી થયા અને દીક્ષા લીધી. ધન્ય વરાગ્ય ! (૩) દીક્ષા પછી નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને તેઓ સ્મશાનમાં જઈ કા ઉસ્સગ દયાને રહ્યા. ગજસુકુમાલનો સસરો સોમિલ ક્રોધથી જમાઈના માથા ઉપર ભીની માટીની પાળ બાંધીને તેમાં સ્મશાનના સીગતા અંગારા ભરે છે. પણ મુનિ સમતાનું શરણ લઈ * * બળે છે તે શરીર મારું નથી, અને મારું જે છે તે બળતું નથી'' એવી ભાવનાએ ચઢયા. વળી હાલવાથી અંગારા નીચે પડે તો કોઈ જીવ બળી જાય એ વિચારથી સ્થિર ઉભા રહ્યા અને આવી માદા બં ધાવનાર સંસરાને કર્મ ખપાવવામાં સહાયક માની શુભ પરિણામે મરી મુકિતને પામ્યા. (૪) સવારે કુણજી પ્રભુ પાસે ગયા, ‘‘ગજસુકુમાલ કયાં છે?' એમ પુછયું, પ્રભુએ કહ્યું - "તમને શહેરમાં જતા દરવાજે જે મળશે તેની સહાય થી ગજસુકુ માલ મુકિતને પામ્યા” એ સાંભળી કુષ્ણજી મુનિઘાતકને શિક્ષા કરવા તુર્ત શહેર તરફ ચાલ્યા, (પ) દરવાજામાં જ કૃષ્ણને સામે આવતા જોઈ સોમિલનું હૃદય ભયથી બંધ પડી ગયું. પાપી પોતાના પાપે મર્યો. આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31