Book Title: Jain Stuti
Author(s): Bhanubhai K Bhansali
Publisher: Bhanubhai K Bhansali

View full book text
Previous | Next

Page 340
________________ ૩૨૫ વાઘ, સિંહ, સાંઢ આદિ જાતિઓમાં કંઈક જીવને ઘાત આદિ. કરીને તે અને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૨) હેલા, ગીધ, કુકડા, હંસ, બગલા આદિ પંખીની જાતોમાં જન્મેલા મેં ભૂખને વશ પડી જે કૃમિ આદિને ખાધા તેમને પણ ખમાવું છું. (૧૩) મનુષ્યપણુમાં પણ જીભને વશ પડેલા મેં મૂઢ જીવે શિકાર આદિ દ્વારા જે જીને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૪) રસના લુપ બનીને મેં મધ, માંસ, મધ, માખણુ આદિમાં રહેલા જીને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. (૧૫) સ્પર્શનેન્દ્રિયમાં ગૃદ્ધ બનીને પરસ્ત્રીગમન કરતાં મેં જે જીવેને દુભવ્યા છે તેમને ય ત્રિવિધ ખમાવું છું. (૧૬) ચક્ષુ ઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયને વશ પડેલા મેં જે જીિને દુખમા સ્થાપન કયાં તેમને પણ ત્રિવિધે પણ ખમાવું છું. (૧૭) તામસી ભાવને પામેલા મેં મારો માનભંગ થવાથી જે જીવે પર આક્રમણ કરીને પણ આજ્ઞાપાલન કરાવ્યું તેમને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૮) માલિકપણું પામીને જે જીવેને બાંધ્યા કે મરાવ્યા, પછી તે અપરાધી હોય કે નિરપરાધી હોય તેમને પણ ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. (૧૯) દુષ્ટ એવા મેં ક્રોધથી યા લેભથી જે કઈ મનુષ્ય પર આળ ચડાવ્યાં હોય તેમને પણ ત્રિવિધ ખમાવું છું. (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352