Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 6
________________ ૨૧૪ શ્રી જૈન છે. કે. હેડ. અખંડ પરિશ્રમ કરી અનંતતામાં ભળી જાય છે ત્યાર પછી તેના અનુયાયીઓ કાલાંતરે તે મહાત્મનના હૃદયગત આશયને ન સમજતાં યા જૂદી જ રીતે સમજતાં તેમનાં કથનને આવિષ્કાર વિચિત્ર રીતે કરે છે, આચાર વિચારમાં સ્કૂલના પામી પિતાના મૂલનાયક કરતાં હજારોગમે ન્યૂન આત્મબળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર ન કરતાં તે કથનનું હાડપિંજર પકડી રાખી તેના ચૈતન્યનો મર્મ ન સમજી દ્રઢાગ્રહી, મતાધિનિવેશી બને છે અને તેથી જે સમાજને તે દોરે છે તેમાં હાનિકર અને ક્ષતિકર બળા ઉત્પન્ન કરે છે જ્યારે મૂલ મહાન વગોવાય છે. અવસર્પિણી અને ઉસર્પિણી એ બે કાલસંબંધેની જૈન કલ્પના ભવ્ય છે અને ખરી પણ છે કારણકે તે દર્શાવે છે કે ઉન્નતિ અવનતિ થયાં કરે છે. એક વખતની મહત્તાના શિખરે પહોંચેલી પ્રજા કાલાંતરે અધમ પ્રજા થાય છે. આનું કારણ ઉપર્યુક્ત ગ્રંથકારના મુજબ History teaches us that the great civilised nations have gradually declined when they had fulfilled their civilising mission, when they had reached their zenith. This is a law of nature, and there is no reason to believe that that law will be invalid in future. –એવું છે કે જે ઉદિષ્ટ સાધ્ય માટે તે પ્રજા મહાન થઈ હોય તે પૂર્ણ થયું એટલે કુદરતના નિયમ પ્રમાણે પછી તેની એટલી બધી જરૂર રહેતી નથી તેથી ધીમેધીમે નીચે નીચે આવતી જાય છે. બીજું કારણ એ પણ છે કે સમર્થ પુરુષોની ખામી, અથવા તત્ તત્ કાલના સંજેને દ્રષ્ટિમાં રાખી સૂલ નિશાન અને કર્મણ્ય પ્રદેશ ચૂકેયા વગર પ્રજાના-સમાજનો નાયક તરફથી જે વર્તાવ જોઈએ તેને અભાવ. આથી વિચિત્ર રૂચિવાળા, અજ્ઞાન અને જડ લોકો પ્રત્યે યોગ્યતાના પ્રમાણુ વગર ઢળી જવું, વિચારની સંકુચિતતા પ્રાચીન ગૂઢ તોની અસમજ, વિધિઓનું નિઃસર્વ પ્રાબલ્ય, ચૈતન્ય પર અદ્રષ્ટિ વધે છે; વહેમ, શુષ્કતા, ઢેગ, અસહિષ્ણુતા જેસમાં ઉદ્દભવે છે, અને અસલી બુદ્ધિવૈભવ ભવ્યતા–પ્રતિષ્ઠા, ઉદાત્તતા, ને હૃદયની આર્દ્રતા નાશ પામે છે. જૈન સમાજ પર આવતાં તે પિતાના ભૂતકાલ પ્રત્યે અભિમાન પૂર્વક દ્રષ્ટિ ફેંકવા અધિકારી છે. કલા, વિજ્ઞાન, વ્યાપારમાં, તેમજ ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે વિશાલ ભાગ તેણે લીધો છે તેને માટે તે ગર્વ લઈ શકે તેમ છે. હમણાં પિતાના સંધના બેલમાં પૂર્ણ વિશ્વાસ મૂકી પિતાની સમક્ષ ઉચ્ચમાં ઉચ્ચ લક્ષ્ય રાખી ભવિષ્યમાં ભવ્યતા નિહાળવા શ્રદ્ધા રાખવાને તેને અધિકાર છે. પણ તે કયારે ?-જ્યારે તે વિચારસંકુચિતા દૂર કરી સર્વ વિચારો અને વિગતેને અંધશ્રદ્ધાથી તત્ત ( તથતિ-પ્રમાણ વચન) માની તે પર શ્રદ્ધાપૂર્વક વિચાર કરી-ઐતિહાસિક શોધખોળથી–વિજ્ઞાનના પ્રયોગથી આંકી પૂર્વ મહા પુરૂનાં વચનેમાં રહેલા સત્ય ચૈતન્યને સ્વીકારી પોતાનું વર્તન રાખવા કટિબદ્ધ થાય ત્યારે જPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 376