Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 7
________________ તંત્રીનું નિવેદન. ૨૧૫ જે સમાજમાં હેમચંદ્રાચાર્ય જેનને અનન્ય જીસસ હતા એવું કથન ક્યા શાસ્ત્રમાં લખેલું છે એ પ્રકન જાહેર પત્રદ્વારા પ્રકટ થાય, જે સમાજમાં ઉદેશમાળાના કર્તા વીરદીક્ષિત ગણી શકાય કે કેમ? એવો ઉદ્દભવેલો પ્રત મિથ્યાત્વજનિત ગણાય, જે સમાજ સંપ્રદાય પરસ્પર ન લડે અને સંપથી રહે એ વાત હાસ્યજનક ગણાય, જ્યાં ધર્મનાં અલ શાસ્ત્રો છાપવા-છપાવવા પ્રત્યે મહા વિરોધ ઉભું થતું હોય, જે સમાજમાં સંપ્રદાયભેદ, ગભેદ, સમાચારી ભેદ, તડાં, તડાંમાં તડાં, ઉસૂત્ર પ્રાપણાની માથે લટકતી તલ રિ, સંઘબહારની શિક્ષા, જાતિભેદ, દુષ્ટ રૂઢીઓ, નવીન જેને સાથે વ્યવહાર તે દૂર, પરંતુ ધર્મસ્થાનકમાં આવવાનો પ્રતિબંધ, વિધિવાદમાં રહેલા હેતુનું અજ્ઞાન વગેરે જડ ઘાલીને બેસી રહેલાં હોય ત્યાં પ્રગતિ, સંસ્કૃતિ, ઉન્નત પ્રયાણ, સાધ્ય પ્રાપ્તિ વગેરેનો સંભવ ખરો?- આ શું પંચમ આરાની કઠિનતા, કલિની કુટિલતા, કે ભસ્મગ્રહની પ્રબળતા !! અમને લાગે છે કે કાલનો દોષ નથી, કાલ પર દોષ નાં ને એ ઉપચાર માત્ર છે જે પૂર્વે હતો તેવો હમણાં કાલ ગણી આપણે બીજી દિશા શોધવાની છે. સમાજના નેતાઓ ભૂતકાલ પર દષ્ટિ ફેંકી તેની મહત્તા જે કારણોને લઈ હતી તે કારણે શોધી - મૂનના સંજોગોનું તેલન કરી તેના દેશકાળાદિને અનુકૂલ પગલાં ભરે તે અવશ્ય ઉન્નતિ પ્રાપ્ત થાય. આ માટે જૈન ઇતિહાસની ખાસ આવશ્યકતા છે. અત્યાર સુધી જૈનનો ધારાવાહિક ઇતિહાસ લખાયો નથી. જે કાંઈ લખાયું છે તે બિંદુ રૂપે છે. પંડિત હીરાલાલ હંસરાજ કૃત જૈન ઇતિહાસ ભાગ છે, અને જૈન ધર્મ વિદ્યાપ્રસારક વ તરફથી કે એન ઇતિહાસ સિવાય બીજો એક પણ પ્રયત્ન થયો નથી. તેને તૈયાર કરવા માટેનાં સાધને વિધ વિધ ગ્રંથ રૂપે અનેક પ્રકટ થયાં છે અને પ્રકટ થતાં જશે. આ સર્વ સાધનોને એકત્રિત કરી બીજા ધર્મો, પ્રજા, અને આર્યાવર્તના ઈ. હાસો વગેરે તપાસી એક અખંડિત પ્રવાહમાં ચાલ્યા આવે એ મહાન અને પ્રમાણપ જૈન ઇતિહાસ લખવા લખાવવાની ઘણી જ જરૂર છે. આ માટે જૈન શ્રીમતિએ ઈનામ કાઢી વિદ્વાનોને આકર્ષવા ઘટે છે. તીર્થકરોના વૃત્તાંતો સૂત્રોમાંથી મળી શકે છે, પરંતુ હજુ આગ જે | જોઇએ તેવા સંદર અને સ્પષ્ટ આકારમાં પ્રકટ થયાં નથી તેથી છેલા તીર્થંકર શ્રી ? જીવન, તે સમયની જનસ્થિતિ, આર્યાવર્તની સ્થિતિ વગેરે પર જોઈએ તે પ્રકાશ મેળવી શકતા નથી, તે તે બહાર પડયે આપણે શ્રીમન મહાવાથી તે અત્યાર સુધીનો સમગ્ર જૈન ઇતિહાસ બીજા ઐતિહાસિક જૈન ગ્રંથ ઉપલબ્ધ કરી એક શંખલામાં ગોઠવી શ. કીશું. વીરનિર્વાણને આજ ૨૪૪૧ વર્ષ થયાં છે ત્યારથી ઇતિહાસને ત્રણ મુખ્ય ભાગે પાડી શકીએ તેમ છીએ; (૧) શ્રીમન મહાવીરના સમયથી તે વરાત ૧૦૦૦ (સૂત્ર લેખારૂઢ થયા ત્યાં સુધીને (ર) વીરાત ૧૦૦૦ થી વી ત્િ ૨૦૦૦ સુધીને તપ-બર પર ગચ્છની ઉત્પત્તિ આસપાસ સુધી (૩) વીરાત ૨૦૦૦ થી અત્યાર સુવન કે જેમાં ગૂ જરાતી જૈન કવિઓ, લેખ | વગેરેને સમાવેશ થાય છે.' આમનો પ્રથમ વિભાગ અતિ ઉપયોગી પણ અતિશય શ્રમ ાધ્ય છે; બીજે તેથી એ છે અને ત્રીજો સૌથી ઓછા શ્રમ સાધ્ય છે કારણ કે તે માટેનાં ઉપલબ્ધ સાધનની વિરલતા-અવિરલતા પર તેનો આધાર છે. સાધને પર આવતાં આવશ્યક નિયુક્તિ, હા બય કાવ્ય સં) વસંત વિલાસ, ધર્મામ્બુદા કવ્ય વસ્તુપાલ તેજ લિ પ્રશસ્તિ, કુમારપાલ વિ. હાર પ્રશસિત, તીર્થકલ્પ, સ્થવીરાવલિ. મચ્છપ્રબંધ, મહામોહ પરાજય નાટક, જસિસૂરિ અને સોમતિલક સૂરિકૃત કુમારપાલ ચરિત્ર, તીર્થમાલા પ્રકરણ, પંચાશતિ બેધ સંબંધ, વસ્તુપાલ ચરિત્ર, ભાનુચંદ્ર ચરિત્ર, પ્રવચન પરીક્ષા, વિજયદેવ મહામ્ય, દિવિજયમહાકાવ્ય,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 376