Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી જૈન . કે. હેંડ, m vvvvvvvvv vvvvvvvvvvvvvvv ભાવકના સંબંધમાં જે ખૂલાસો પ્રકોત્તર (ગ્રંથ) માંથી મળ્યો છે તે નીચે ટાંકો છે તે ઉપર વિચાર કરી લેશો. “ભાવકર્મ તે આત્માની અનાદિકાળની પ્રદેશે લાગેલી રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ (જાણવી).” દ્રવ્યકર્મ અને કર્મ પગલાશ્રિત છે અને ભાવકર્મ આત્માશ્રિત છે. દષ્ટાંત–ચોખાની (ભરેલી) કેઠીમાં ચોખા તે દ્રવ્ય, કઠી તે કર્મ અને ચેખાને લાગેલો જે મીણો તે સમાન ભાવકર્મ ચીકાશરૂપ આત્માની અશુદ્ધ પરિણતિ જાણવી. વળી તે અભવ્ય અનાદિ અનંત ભાંગે અને ભવ્ય આશ્રી અનાદિ તયા સાદિ સાંત ભાંગે આત્મ પ્રવૃત્તિરૂપ હોવાથી છે. તેમાં એમ પણ જણાવ્યું છે કે હર્ષોલ્લાસ તે ભાવકર્મ આશ્રિત છે. તા. ૧૧-૮-૧૩. • – મુનિશ્રી કપૂરવિજયજી. (૩) પાશ્ચાત્ય દેશીઓનું મથન અને વિવેકપુર:સર પ્રથકરણ કરી પદાર્થાવલોકનને અભ્યાસ વાંચી હર્ષ થાય છે. જ્યારે આર્યોને વાંચન અને મનન તરફ પણ બેદરકાર જાણ ખેદ થાય છે. અસ્તુ. . ૧–ભાવકમનું દ્રવ્ય શું? ઉત્તર-જે કર્મ પુદ્ગલ રસ સહીત આત્મા સાથે સત્તામાં રહ્યા છે, ઉદયમાં આવ્યા નથી, તે કર્મયુગલો ભાવકર્મનું દ્રવ્ય છે. કારણ કે ભાવકર્મ કેને કહેવામાં આવે છે કે જે કર્મ ઉદયમાં આવ્યાં હોય તે ઉદયમાં આવેલાં કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે અને તેથી જ જૈનશાસ્ત્રમાં એમ લખેલ છે કે જે તીર્થકરેના જીવ તીર્થંકર નામકર્મ બાંધી નર્ક અથવા સ્વર્ગમાં રહેલ છે તો તેને દ્રવ્યતીર્થકર કહેવામાં આવે છે. જ્યારે તે તીર્થકર તીર્થકર તરીકે જ જન્મી, દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામે છે, ત્યારે બાંધેલા તીર્થકર નામ ઉદયમાં આવે છે, તેથી તે ભાવતીર્થકર ત્યારે કહેવાય છે માટે ઉદયમાં નહિ આવેલાં કર્મ દ્રવ્યકર્મ કહેવાય છે અને ઉદયમાં આવેલાં કર્મ ભાવકર્મ કહેવાય છે, તેથી તે દ્રવ્યકર્મ ભાવકર્મનું કારણ છે. ૨–ભાવકર્મ એ જીવ છે કે પુદ્ગલ છે? ઉત્તર-ભાવકમ પુદગલ છે, પણ જીવની સાથે લેવાથી એકબીજા એકબીજાથી વિભાવ વાળા બને છે. ક-ભાવક વિભાવ સ્વભાવ છે તો તે કોનો જીવન કે પુગલને? ઉત્તર–ઉપલા પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. (૪–આત્મા અને પુગલ એ બેની વચ્ચેનો સંબંધ તે ભાવકર્મ છે?" ઉત્તર–કર્મશબ્દજ આત્મા સાથેના સંબંધને લઈને વાપરવામાં આવે છે, તેથી ઉદયમાં આ વેલા કર્મની જે અસર આત્મા ઉપર થાય છે, તે અસરને આત્મા વેદે છે એટલે બેની વચ્ચેના સંબંધને અનુભવે સ્વને અને સે જેથી શા છે તેને ભાવકર્મ કહેવાય. છતાં પહેલા પ્રશ્નના ઉત્તરમાં આ હકિકત સ્પષ્ટ રીતે આવી જાય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34