Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 61
________________ પટ વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત (૨) દ્રવ્યનિયમ–કુલ દ્રવ્ય અમુક સંખ્યા કરતાં વધારે ન વાપરવાં. (૩) વિકૃતિનિયમ–છ વિગઈઓ પૈકી અમુક વિગઈ. - ત્યાગ કરે. (૪) ઉપાનહનિયમ–જેડાં–પગરખાં અમુક સંખ્યા કરતાં વધારે ન વાપરવા. (૫) તંબાલનિયમ–આખા દિવસમાં અમુક સંખ્યા કરતાં અધિક તબેલ-પાન વાપરવાં નહિ. (૬) વસ્ત્રનિયમ–અમુક સંખ્યા કરતાં વધારે વસ્ત્ર વાપરવાં નહિ. (૭) પુષ્પાદિભેગનિયમ–જુદા જુદા હેતુથી વપરાતાં પુનું પ્રમાણ નકકી કરવું, સુગંધિ દ્રવ્યને સુંઘ વાનું પ્રમાણ નક્કી કરવું. (૮) વાહન નિયમ-રથ, હાથી, ઘોડા, ઊંટ, ગાડાં, ગાડી, સગરામ, મેટર, રેલ્વે, વિમાન વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૯) શયનનિયમશય્યા વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૧૦) વિલેપનનિયમ–વિલેપન તથા ઉદ્દવર્તનનાં દ્રવ્યનું પ્રમાણુ નક્કી કરવું. (૧૧) બ્રહાચર્યનિયમ – દિવસે અબ્રહ્મ સેવવાનું શ્રાવકને. વજ્ય છે રાત્રિની યતન આવશ્યક છે. તેને લગતે નિયમ કરો. (૧૨) દિગનિયમ–દિશાસંબંધી જે માપ આગળ રાખ્યું. હેય તે વ્રતના સમય દરમિયાન ઘટાડવું. (૧૩) સ્નાનનિયમ–સ્નાનનું પ્રમાણ બાંધવું.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68