Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક
વર્ષ : ૧૪
અંક: ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨0૧.
નિ૨સ્પૃહશિરોમણિ પરમ પૂજય આચાર્ય દેવ
શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજા વિશાળ ઉપકા૨થી અને પ્રાચીન સાહિત્યો દ્વા૨ક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શનથી
શ્રી જૈન શાસનને જયવંત ક૨તા ના શ્રી જૈન શાસન અઠવાઠિકો હાર્દિક શુભચ્છા
ઉધઈoો ખોળો તે ઇન્દ્રિય એવી ઉધઈ એક સૂક્ષ્મ જીવાત છે. તે અવાવરૂ જમીનમાં, દિવાલો પર, ફર્નિચરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઇ થયા પછી તેની ઉત્પત્તિ ખૂબ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ખૂબ વિસ્તાર પામે છે. ઉધઇ ફર્નિચર તથા કાગળોને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય
છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. ઉપઇ થયા પહેલા કે થયા પછી કયારેય પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઉધઇ તથા અન્ય જીવાતો એક સાથે નાશ ૫ મી જાય છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. સેંકડો હજારો નિર્દોષ જીવોને દવા છાંટીને એકસાથે મોતને ઘાટ ઉતારી દેવા તે ભયંકર કુરતા છે. આ રીતે જીવોને બેરહેમીથી મારવાથી આપણને પણ ભવોભવ ક્રૂર રીતે મરવાનો વારો આવે છે.
ઉધઇ માં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુ લીટી જેવી નિશાની થઈ જાય
છે તેનાથી ઉધઇનો ખ્યાલ આવી જાય છે. પ્લાયવુડમાં ઉધઇ થવાની શક્યતા વધુ છે. સાગ, સીસમ, ચંદન લાકડામાં ઉધઇ જલ્દી થતી નથી માટે ઘરમાં પ્લાયવુડનો ઉપયોગ ટાળો.
1 શાહ જયંતિલાલ પાનાચંદ
અંતરિથી, મોરાર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૮૦.
જા
૩૪૩