Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 28 અન છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) '' વર્ષ : ૨૮ | વિક્રમ સં. ૨૦૦૮: વીર વિ. સં. ૨૪૭૮: ઈ. સ. ૧૯૫ર | ગ્રંક : ? || આ વદ ૧૨ બુધવાર: ૧૫ ઑક્ટોબર % २०४ A अढारमा वर्षे - જાણે ગઈ કાલની જ વાત હોય, છતાં “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પિતાના જન્મકાળથી આજ સુધીનાં ૧૭ વર્ષોના ગાળામાં કેટલાયે સંવેગમાંથી પસાર થતું આજે અઢારમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એક પ્રકારને આનંદ અને હર્ષ અનુભવે છે. ગત સત્તર વર્ષને ઈતિહાસ તપાસીએ તે કહી શકાય એમ છે કે, આ માસિકના જન્મ સમયે–આવી ભીષણ મોંઘવારી નહતી ત્યારે–એ બધી રીતે પગભર બની શકે એવી તૈયારી સાથે એણે પિતાના જીવનની શરૂઆત કરી હતી, પરંતુ સમય પલટાયો અને મેંઘવારીના ઘર્ષણમાં એ અટવાયું, મૂંઝાયું, ઘસાયું છતાં શ્રી, જેન સંઘ જે કંઈ મદદ કરતે રહ્યો તે દ્વારા એ જેમ તેમ પણ આજે ખડે પગે રહી શક્યું છે ત્યારે એ પિતાના વિષમ સંગોની કઠોર કહાનીની મીઠાશ આજે અનુભવી રહ્યું છે. અઢાર વર્ષના એક યુવકમાં જેમ નવી આશાઓની ચેતનાનો સંચાર થાય એ રીતે એ કેટલાયે પવિત્ર પુરુષ, વૃદ્ધો, સાહિત્યકાર, આર્થિક મદદગાર અને મિત્રોના આશીર્વાદે તેમજ સહાનુભૂતિઓની નૂતન આશાઓ સાથે પિતાના જન્મદિનને આનંદ અનુભવે એમાં નવાઈ નથી. આવા આનંદ–અવસરે, પળવાર અમારી મૂંઝવણોને કારણે રાખીને પણ, જેઓ આ પત્ર ઉપર મમતા રાખી રહ્યા છે એ સૌને ઉપકાર માનવાનું અમે ભૂલતા નથી. ખાસ કરીને પૂજ્ય આચાર્યાદિ મુનિવરેએ તે તે સ્થળના શ્રીસંઘને ઉપદેશ આપતાં ગયે વર્ષે જેમણે અમારી સમિતિને આર્થિક મદદ કરી છે અને જે સાહિત્યિકોએ લેખ દ્વારા આ માસિકને સમૃદ્ધ બનાવવા સાથે આવે છે તેમને અમે આ પ્રસંગે આભાર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28