Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] જીવનશોધનનાં પાન
[ ૨૩આ “ જીવન-મુક્ત ' અવસ્થામાં રહે છે; અને આયુષ્ય પૂર્ણ થતો દેહ પણ છૂટે છે અને એ પર-મુક્તિને જીવન-મુકિત પછીની સર્વોત્તમ દશાને વરે છે. એ મુક્તિ-રમણી સાથે અવિચ્છિન્ન અને અનુપમ લગ્ન-ગ્રંથિથી સત્વર જોડાઈ જાય છે.
સામ્ય અને વૈષમ્ય- ઉપશમ-શ્રેણિ અને પક-શ્રેણિ પૈકી ગમે તે શ્રેણિને આશ્રય લેનાર કે મેહ સામે જ મારો મડિ છે અને આમ એ બંનેના કાર્યમાં સમાનતા છે ખરી, પરંતુ મેહનાં વિવિધ રૂપ સામે માથું ઊંચકવાના ક્રમમાં ફેર છે, અલબત્ત, બંને શ્રેણિમાં સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયોની સામે હલે લઈ જવાય છે અને પછી દર્શન-મેહનીયની ખબર લેવાય છે. એટલું સામ્ય છે.
- ત્યાર પછી બંને ભિન્ન ભિન્ન માગે કંટાય છે. ઉપશમ-શ્રેણિએ આઢ થયેલી વ્યક્તિ નવ નેકષાયને સામને કરે છે, જ્યારે આ કાર્ય ક્ષપક-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ આગળ ઉપર કરે છે :
ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ ધના અનંતાનુબંધી સિવાયના ત્રણે પ્રકારોને દબાવ્યા બાદ, માનના એ જ ત્રણ પ્રકારને, ત્યાર પછી માયના એ જ ત્રણ પ્રકારોને અને ત્યારબાદ તેભના બે પ્રકારોને અને ત્યાર પછી લેજના છેલ્લા પ્રકારને સપાટામાં લે છે, જ્યારે ક્ષપક-શ્રેણિએ આરૂઢ થનાર આમ ક્રોધ, માન, માયા અને લેભનો ક્રમશઃ નાશ ન કરનાં એ પ્રત્યેકના ઘરમા પ્રમાણેના પ્રકારોને એટલે કે રાની ઝેલા ઘરને અને સમકાળે ચારેના પ્રત્યાખ્યાનરૂપે સ્વરૂપને જડમૂળથી ઉખેડી નાંખી, ત્યારબાદ નવ નેકષાયને ઉપર સૂચવાયા મુજબ ક્રમે-ચાર કટકે ક્ષય કરી, ચારે કષાયના સંજવલન નામના પ્રકારને ક્ષય કરે છે.
આમ ઉપશમ શ્રેણિમાં ધિ, માન, માયા અને લેભ એ પ્રત્યેકને પહેલા બે પ્રકારે પૂર્વક ક્રમશઃ ઉપશમ છે, જ્યારે ક્ષપક-શ્રેણિમાં ક્રોધાદિના પહેલા બે પ્રકારના – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનને સમકાળે અને ત્યારબાદ સંજવલન-બાથરૂપ કેધાદિને ક્રમશઃ ક્ષય છે.
ઉપશમ-શ્રેણિ અને ક્ષક-ણિ વિષે વિશેષ પરામર્શ કરતાં નીચે મુજબના મુદ્દા તારવી શકાય –
(૧) કે ધાદિ ચાર કષા એ આત્માના મહાશત્રુઓ છે, જ્યારે એની સરખામણીમાં નવ કષાયે સામાન્ય અર્થાત્ ક્ષુદ્ર શત્રુઓ છે. . (૨) “ લેભે લક્ષણ જાય ' “ભ એ પાપનું મૂળ છે' ઇત્યાદિ લોભને અંગેની કહેવતે એક યા બીજા સ્વરૂપે જાણે એમ ન સૂચવતી હોય કે આત્માને સૌથી જીવલેણ દુશ્મન કોઈ હોય તે તે “લોભ” છે. આ અનુમાન અજેનીને માન્ય છે યા નહિ, પરંતુ જૈન દૃષ્ટિએ તે કષાયોના ઉપર વિજય મેળવવા માટે જે માર્ગ દર્શાવાયેલ છે તે જોતાં તે આત્માને સૌથી પ્રખર શત્રુ “લે છે. એ લોભ પહેલીથી છેલ્લે સુધી એની સામે થાય છે. વળી જાણે આત્માને જીતવા માટે એ લેભ જ દત્તાત્રેય ન બન્યા હોય તેમ એ ત્રિમૂર્તિધારી સ્વરૂપે બિરાજે છે. સંજવલન-લેભને–તીવ્રતાની દૃષ્ટિએ છેક ઉતરતી કોટિના આ લેભને જીતવા માટે એની આ ત્રણ મૂર્તિઓને અલગ અલગ કરવી પડે છે. તેમ થાય તે જ એની રેવડી દાણાદાર થઈ શકે. એની બે મૂર્તિને સમકાળે પરાસ્ત કર્યા પછી પણ એની ત્રીજી મૂર્તિને જીતવાનું સહેલું નથી–કઠે પ્રાણુ આવે તેવું છે, કારણકે એને
For Private And Personal Use Only