Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦] શ્રી અને સત્ય પ્રકાશ સર્વથા બનવાજોગ છે. વળી એલિચપુર (પ્રાચીન અge)ની દક્ષિણે ૬ માઈલ ઉપર ચમક નામનું એક ગામ છે કે જે ભાકુલીથી વાયવ્ય કોણમાં લગભગ ૨૦ માઈલ દૂર થાય છે. અહીં આ એક ખેડૂતને ખેતી કરતાં સાત ટુકડાને જોડીને બનાવે એક મોટે તામ્રપટ ઈસ્વીસન ૧૮૬૮ માં મળી આવ્યો હતો. પ્રત્યેક ટુકડે ઇંચ લાંબે અને આ ઇંચ પહોળો હતો. તેના ઉપર નીચે પ્રમાણે મુખ્ય માહિતી કાતરેલી મળે છે – ॐ स्वस्ति प्रवरपुरात्......वाकाटकानां परममाहेश्वरमहाराजश्रीप्रवरसेनस्य વચનવિ...... મોરાળે બ્રુનીતરે ચર્નીયાના સંગ્રામ નામાવા () મૂમિसहस्रष्टाभिः (८०००) शत्रुघ्नराजपुत्रकोंडराजविज्ञप्त्या नानागोत्रचरणेभ्यो ब्राह्मणेभ्यः सहस्राय दत्तः અર્થ–“પ્રવરપુરથી (જણાવવામાં આવે છે કે, વાકાટવંશના પરમમાહેશ્વર મહારાજા પ્રવરસેનની આજ્ઞાથી ભેજકટ રાજ્યમાં મધુ નદીને કિનારે આવેલું ચર્માક (ચમ્મક) ગામ ૮૦૦૦ રાજમાણિક ભૂમિ (તે વખતમાં ચાલતું માપ લાગે છે) વડે શત્રુન રાજના પુત્ર કે રાજની વિજ્ઞપ્તિથી જુદા જુદા શેત્રવાળા બ્રાહ્મણોને આપવામાં આવે છે.” તામ્રપટ (દાનપત્રોમાં આ પછી સારું વતન રાખવા વગેરેની કેટલીક શરતે દાખલ કરવામાં આવી છે. તેમ જ બ્રાહાણના ગોત્ર સહિત નામો ઉતરેલાં છે અને છેવટે તેના ઉપર નીચે પ્રમાણે રાજમુદ્રા છે— वाकाटकललामस्य क्रमप्राप्तनृपश्रियः।राज्ञः प्रवरसेनस्य शासनं रिपुशासनम् ॥ આ તામ્રપટ સુમારે વિક્રમ સંવત પાકમાં લખેલો છે. વાણાટક વંશના સંબંધમાં તામ્રપટ અને શિલાલેખે મળી લગભગ ૬ લેખે આજ સુધીમાં અલગ અલગ સ્થળે ૧ “હું રાજાના નામ ઉપરથી રૂઢિપુ અથવા ચિપુર નામ પાડ્યું હોવાને તવારીલ-મમરીના લેખકને તક છે” એમ મેં મારા હિનપુર (તા. ૧૫-૫–૫૦)ના લેખમાં આ જ માસિકના પૃ. ૧૬ માં જણાવ્યું છે. આ વિષે અધિક તપાસ કરતાં જણાયું છે કે તે ઈસવીસન ૧૮૬૦માં (૯ તથા ફારસીમ) છપાયેલી છે અને તે સમય આસપાસ જ ત્યાંના એક મુસલમાને તે લખી છે. એટલે ઈ. ૧૮૬ની તવારી-ટૂ-મગાવી કઈ પ્રાચીન પુરાવો ન જ ગણી શકાય. વિદ્વાનોએ હવે આને ક્ષત્રપુર જ નક્કી કરી દીધું છે. ત્યાંની કેંગ્રેસ સમિતિ પણ હવે નવરપુર જલ મિતિના નામથી જ ઓળખાય છે. - પ્રાકૃત વ્યાકરણમાં અને ના વ્યત્યય સંબંધમાં “અન્નપુર ને અન્નપુર કહે છે.” આ જે ઉદાહરણ આપવામાં આવ્યું છે અને જેને મેં કુંઠિનપુરના લેખમાં પૃ. ૧૬૧માં ઉલ્લેખ કરેલો છે તેને પણ પુષ્ટિ આપતું પ્રમાણ મળી ગયું છે. મહાનુભાવપંથ નામના મહારાષ્ટ્ર તથા વરાડમાં ચાલતા એક હિંદુસંપ્રદાયના પ્રાચીન મરાઠી ભાષામાં લખાયેલા સાહિત્યમાં અળજપુર નામથી જ અચલપુરઆજના એલિચપુરનો ઉલ્લેખ અનેકવાર કરેલો છે કે જે ઉલ્લેખ વિક્રમની લગભગ ૧૩ મી ૧૪ મી શતાબ્દી જેટલે જાતો છે. અલપુરના લ ને ળ થયે (દક્ષિણમાં લ ની જગ્યાએ જ બોલવાને ઘણે રિવાજ છે), અને તે રીતે અપભ્રંશ થઈને ર ને s થયો. આ પ્રમાણે રાવપુરનું અજપુર અને તેનું જ અપભ્રંશ અળજપુર થયું. ઘસાઈ બદલાઈન-અત્યારે વળી એલિચર થઈ ગયું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28