Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ શિષ્ય વજુસેનસરિને મુનિ-સમુદાય સાથે અન્યત્ર વિહાર માટે રજા આપી, અંત સમયમાં તેઓએ સુભિક્ષ (સુકાળ) થવાની સૂચના કરી હતી કે- જે દિવસે તમે લાખ મલ્યના એદન (ભાત)માંથી ભિક્ષા મેળવે, તેને બીજે દિવસે સુકાળ થશે, એમ સમજજે.” કણનું સુપરક પત્તન, જે હાલમાં મુંબઈ પાસે ના પારા નામથી ઓળખાય છે, ત્યાં એવી ઘટના બની. ત્યાંના શ્રીમાન શેઠ જિનદત્ત, પત્ની ઇશ્વરી અને નાગેન્દ્ર, ચંદ્ર નિતિ, વિ લાધર એ નામના ચાર પુત્રો સાથે દુષ્કાળના ત્રાસથી કંટાળી ગયા હતા; તેઓ લાખ રૂપિયાના મૂલ્યથી ઓદન (ભાત) પકાવીને, જીવન-સમાપ્તિ માટે તેમાં ઝેર ભેળવવાની તૈયારીમાં હતા, પરતું સદ્ભાગ્યે તે પહેલાં સમયસર શ્રી વજુસેનસૂરિ ત્યાં ભિક્ષા માટે આવી ચયા. તેઓએ નાની ગુરુની આગાહી કરી તેમને તેમ કરતાં અટકાગ્યા, તેમનાં જીવન બચાવ્યાં. જ્ઞાનીની ભવિષ્યની વાણી પ્રમાણે બીજા દિવસના પ્રભાતમાં પરદેશમાંથી વહાણ દ્વારા પુષ્કળ ધાન્ય આવતાં સુકાળ પ્રવર્યો હતો. [તે કુટુંબે પાછળથી પ્રવજ્યા સ્વીકારી આત્મહિત સાધ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્યના સંસ્કૃત પરિક્રિષ્ણવ વોરમાં તેના ઉલ્લેખ છે ]. ત્રણ વરસના દુકાળમાં જગડુશાહ વિક્રમની ચૌદમી સદીમાં સં. ૧૩૧૨ વિત્યા પછી સં. ૧૩૧૨થી સં. ૧૭૧૫ એ ત્રણ વર્ષો સુધી ભયંકર દુકાળ પડ્યો હતો. ભલભલા રાજા-મહારાજાઓ પણ તે વખતે . સંઝાઈ ગયા હતા. ભદ્રેશ્વર (કચ્છ)ના શ્રીમાલી વણિક જગડૂ શાહે પરમદેવરિ જેવા જ્ઞાની ગુરુની આગાહીથી પહેલેથી ચેતી જઈ સર્વત્ર કુશલ આપ્ત મનુષ્યો રાકીને જ્યાં ત્યાંથી પુષ્કળ ધાન્યને સંગ્રહ કરાવ્યો હતો. જેણે થરપારકરના અત્યંત અખિી ઉદ્ધત રાજા પીઠદેવને ગર્વ ગાળી ભશ્વરનો કિલો ફરીથી બંધાવ્યું હતું. * ત્મા દાનવીર જગડૂ શાહે એ કારમા કાળમાં લોકેાને અન્ન આપી જીવને-દાન આપ્યું હતું. . દુલિનાં બે વર્ષ તે લોકેએ જેમ તેમ કરી મહામુશ્કેલીથી–પસાર કર્યા હતા, પરંતુ પછીના ત્રીજા વર્ષમાં (સં. ૧૦૧૫માં) તે મહારાજાઓના ઠારાનાં પણ સર્વ ધાન્યો ખૂટી ગયાં હતાં. એ દુકાળ એ ભયંકર હતો કે લોકેએ ૧ દ્રમ્મ (નિષ્કના ૧૬મા ભાગ-દામથી)થી ૧૩ ચણા પણ મેળવ્યા હતા. ગુજરાતના મહારાજા વીસલદે નાણામંત્રી દ્વારા જગડૂ શાહને બોલાવ્યા. તેમણે આવી દિવ્ય રત્નની ભેટ ધરી નમન કર્યું. મહારાજાએ કહ્યું કે અહીં (પાટણ, ગુજરાતમાં) તમારા ધાન્યના ૭૦૦ કઠાઓ છે, એમ સાંભળીને ધાન્યની ઈચ્છાથી મેં તમને બેલાગ્યા છે.' જગડુશાહે સહેજ હસતાં જવાબ આપે કે અહીં કયાંય મારું ધાન્ય નથી. મારા આ વાકયમાં સહ હોય તે કાઠાઓમાં ઈટની અંદર રહેલા તાંબાના પતરા પરના અક્ષરે વાંચી એની ખાતરી કરો.” જમવૂ શાહે એની પ્રતીતિ કરાવી. ત્યાં લખ્યું હતુ કે–જગડુએ આ કણો રંક માટે કલા છે.” “દુષિથી પીડાઈને લોકે જે મરણ પામે, તે તેનું પાપ મને લાગે.” 'જગડુશાહે ગુજરાતના મહારાજા વીસલદેવને ૮૦૦૦ મૂઠ અનાજ આપ્યું હતું. [1 =૧૦૦ મણને ગણાય છે. તે અવસરે સોમેશ્વર વગેરે અનેક કવિઓએ અનેક કાવ્ય દ્વારા જગડુશાહની સ્તુતિ કરી “ગુજરરાજ્યવધન' “સર્વપ્રજાપષક' જગદુહારક” KH , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28