Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮) ગૂજરાતમાં ખેતીનો જન્મ (૧૧ ખેતરનું દાન વિક્રમની ૧૧ મી સદીનું ગુપ્તસંવત ૧૦૩૩નું એક સંસ્કૃત તામ્રપત્ર મળ્યું છે, તે પરથી જણાય છે કે–ચૌલુકય મહારાજા યુવરાજ અને ચૌહાણુવંશી મહારાણી માધવીના સુપુત્ર યુવરાજ ચામુંડરાજે જૈનમંદિરમાં ધૂપ, દીપ, ફૂલમાળ વગેરેના વેતન(ખર્ચ) માટે અસામાન્ય કેદારો (કયારા)વાળું એક ક્ષેત્ર પિતાના શ્રેય માટે અર્પણ કર્યું હતું. જે ખેતર લાંબણેજ (ગૂજરાત) પાસેના વણશમંપુરની ઉત્તર દિશામાં રહેલું હતું.. [ નાગરાજનાં ક્ષેત્રની કેદારી (કયારી), ચંદ્રરાજ લેહકારના, તથા શાલિભદ્ર પટેલના ક્ષેત્રમાં રહેલ કેદારે (કયારાઓ), તથા જોનપુરા ગામના માર્ગથી દક્ષિણને કેદાર એ જ કેદારો (કયારાઓ) સાથે એ ક્ષેત્ર (ખેતર)નું દાન અપાયેલું હતું.] વરસાદની અને ખેતીની આગાહી જે દેશમાં નદીના પાણીથી ધાન્ય પાકે છે, તે દેશને સંસ્કૃતમાં નદીમાતક કહે છે, તથા જે દેશમાં મધની વૃષ્ટિથી (વરસાદના પાણીથી ) ધાન્યો પાકે છે, તે દેશને દેવમાતક કહેવામાં આવે છે, ગૂજરાત દેશ બહુધા તે (દેવામાંતક) છે. ખેતીને મુખ્ય આધાર વરસાદ પર હાઈ વરસાદ કે થશે? કયારે થશે? સુકાળ થશે કે દુષ્કાળ, કઈ કઈ જાતને પાક થશે, કઈ કઈ વસ્તુઓ સેવી કે મેત્રી થશે? એ વગેરે સંબંધમાં કેટલાક પ્રાચીન વિદ્વાનોએ, જ્યોતિષી એ, તથા નિમિત્તાનીઓએ ત્રલોકથપ્રકાશ, મેધમાલા, મેઘ-મહોદય વિપ્રબોધ), ભાલી-કવિતા, વરસાદના વર્તારા, કહેવત વગેરેની રચના કરેલી છે. ખેતીની ઉત્પત્તિ માટે તેનું જ્ઞાન અત્યંત જરૂરી ગણાય. સંસ્કૃત, પ્રાકૃત સિવાય લેકભાષામાં પણ આવું કેટલુંક ચાહિત્ય મળી આવે છે. ગુજરાતની ભૂમિ ગૂજરાતના વિવિધ પ્રદેશની કાળી, ગેરાટ અને ગેરમટી ભૂમિ વિવિધ પ્રકારના પાકને માટે ઉત્તમ ગણાય છે. એ ભૂમિમાં જીરાયતી, કથારી અને બાગાયતી સર્વ પેદાશ સરસ થાય છે. ચોમાસુ પાક, શિયાળુ પાક અને ઉનાળુ પાક એ સર્વ ઉત્પાદન માટે ગુજરાતની ભૂમિને વેશ્ય ગણવામાં આવી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હિમ-સંકટ, તીડ-સંકટ આદિ કુદરતી અકસ્માતો ન નડે, તે ગુજરાતની રસાળ ભૂમિ અનુકૂળ વૃષ્ટિથી ખરેખર દલપ થઈ શકે, ખેડૂતોને ખેતભર્યો પ્રયત્ન, ઉત્તમ બી, સારું ખાતર, નવાં હળ-ટ્રેકટર આ વૈજ્ઞાનિક સાધનની અને નહેરા આદિની સકળ જના એ બધાં સરકારી કારણથી પણ કાર્ય સિદ્ધિ થાય એ સ્વાભાવિક છે. . વિક્રમસંવત ૧૨૫૧માં મહારાજા ભીમદેવને રાજ્ય-સમયમાં લખાયેલી, હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રની તાડપત્રીય પોથીને અતમાં કાળી જમીનવાળા લાદેશને અનિરપી વનિતાના પ્રશસ્ત કસ્તૂરીના તિલક જે જણાવ્યા છે, તે (દેશ)ને અલંકૃત કરનાર, સકળજનોના મનને હરનાર દર્શાવતી (કોઈ) સ્થાનમાં એ પુસ્તક લખાયેલું છે. ગૂજરાતની રસાળ અને ફલદ્રુપ ભૂમિનાં વર્ણન અનેક કવિઓએ કર્યો છે. વિક્રમ સંવત ૧૭૯૭ માં કક્કરિએ રચેલા “શત્રુંજય તીર્થોદ્ધાર-પ્રબંધ'માં ગૂજરાતનીં ભૂમિને સમસ્ત પ્રકારની ધાન્ય-સંપત્તિની નિપત્તિ માં સમર્થ જણાવી છે, તયા ગૂજરાતના કુવાઓને બહુ પાસે રહેલા પાણીથી ભરપૂર જણાવ્યા છે. ગૂજરાતમાં ઉત્પન થતાં વિવિધ ના, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28