Book Title: Jain_Satyaprakash 1948 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] આરંભસિદ્ધિ [ 9 ચોરી :વિમર્શ ૮૮ શ્લેકપ્રમાણ છે. તેમાં અમદાર અને વારતુદાર છે. એક ૬૪ ક્ષેકનું છે ને બીજું ૨૪ શ્લેકનું છે. ગમ એટલે યાત્રા. મુસાફરી, ગામ જવું, યુદ્ધ માટે યાત્રા. તીર્થયાત્રા, વિહાર વગેરે સર્વ ગમ દ્વારમાં આવી જાય છે. લોકમાં યાત્રા ને પ્રસંગ સર્વેને વારંવાર આવે છે. તે માટે મુહૂર્તની જરૂર પણ વારંવાર પડે છે. પિતાની યાત્રા સફલ થાય એ સહુ કેઈ ઇચ્છે છે. તે માટે શકુન જેવા વગેરે પ્રચલિત છે, તે પ્રમાણે સારું મુહૂર્ત પણ આવશ્યક છે. મુહૂતચિંતામણિ નામના પ્રસિદ્ધ પતિષ ગ્રન્થનું યાત્રા પ્રકરણ ખૂબ વખણાય છે તે પ્રમાણે અહીંનું ગમ દ્વારા પણ પ્રસંસનીય છે. અહીં પણ ઘણું વિષયનું સ્પષ્ટીકરણ મળે છે. વારતુ-નવીન ઘરમાં પ્રવેશ, રહેવા માટે શરૂઆત-તેમાં ઘણા વિષયો જેવાના રહે છે. વિસ્તારથી વાસ્તુ વિષયક મુહૂર્તની ચર્ચા કરી છે. * પાંચણ વિમર્શમાં ૮૬ શ્લેકે છે, ને બે દ્વાર છે. ૪ શ્લોકનું વિલગ્નદાર અને ૮૨ કનું મિશ્ર દ્વાર. વિલગ્નદારના ચાર શ્લોકમાં પણ ગ્રખ્યારે જ્યોતિશાસ્ત્રની કેટલીક અતિશય ઉપયોગી વાતો કહી દીધી છે. કયાં કયાં કાર્યોમાં લગ્ન લેવું જ જોઈએ, લગ્નપગી માસ,સિંદરથી ગુરુ, ધના મીનાર્ક, ચાતુમસ, અધિકમાસ, વગેરેની ત્યાજ્યતા, શુક્રાસ્ત અને સુરત કેવી રીતે ચૂંજવા વગેરે વાત આ કારમાં આવે છે. મિશ્રદ્વારમાં જતિષની બાકી રહેલી ઉપયુક્ત સર્વ વાતે આપી છે. પ્રતિષ્ઠા મુહૂર્ત–દીક્ષા મુહૂર્ત કેટલાયે વિશેષ વિચારે આ દ્વારમાં છે. આ કારણે કેટલીએક ગુચ્ચમથી જાણવા જેવી વાતો પણ આવે છે. એ પ્રમાણે પાંચ વિમર્શ, ૧૧ કાર અને ૪૧૨ લોકપ્રમાણુ આરંભસિદ્ધિ પ્રત્યે છે. ૪૧૨ શ્લોકે અતુટુપ જ નથી પણ જુદા જુદા પ્રાસાદિક અનેક છમાં ગુંથાયેલા શ્લોકે છે. વસંતતિલકા, મજાક્રાન્તા, શિખરિણ, શાર્દૂલ, સગ્ધરા, વગેરે મેટા મેટા તો પણ તેમાં આવે છે. તિષના મુહૂર્ત વિષયક ગ્રન્થમાં છન્દ શાસ્ત્રનું પ્રભુત્વ સારા પ્રમાણમાં જોવાય છે. તેમાં એક રીતે લાભ છે. લાભ એ છે કે-કંઠસ્થ કરવા માટે છન્દથી અનુકૂળતા સારી રહે છે. બીજી બાજુ એક કિલષ્ટતા પણ રહે છે તે એ કે છન્દને પરાધીન રચના કરવા માટે કિલષ્ટ શબ્દોને ઉયોગ વિશેષ કરવો પડે છે. બુદ્ધિની ખીલવણ એ રીતે જરૂર થાય પણ મદુમતિવાળા માટે દુ:શાય પ્રવેશ પણ બને છે. જેમકે-આ જ કન્યમાં વિદ્યારંભના મુહૂર્તમાં વાર અને નક્ષત્રે જણાવતા કહ્યું છે– विद्या सुराध्यापकराजपुत्र-सितार्कवारेषु समारभेत ॥ पूर्वाश्विनीमूलकरत्रयेषु, श्रुतित्रये वा मृगपञ्चके वा ॥३५॥ विर्मश ३ । અર્થ—ગુ, બુધ, શુક્ર ને રવિવારમાં વિદ્યાને આરંભ કરો. પૂર્વાફાગુની, પૂર્વ વાટા, પૂર્વાભાદ્રપદ, અશ્વિની, મૂલ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારા, મુરશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય ને અશ્લેષા એટલા નક્ષત્રમાં વિદ્યાનો આરંભ કરો. જ્યોતિષ શાસ્ત્રની પરિભાષાઓ સારી રીતે પરિચિત ન હોય તે સહેલાઈથી- - થાવ-ગુરુ, રાવપુત્ર–બુધ, સિત-શુક્ર, વાર-હસ્ત, શ્રુતિ-શ્રવણ, એ ન સમજી શકે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28