Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ | સોક્રેટિસ અને મૂર્તિપૂજ
[ ૧૭ માર્ગમાં ઊતરી જશે. અથવા એ મીસરની પ્રજા પેઠે બિલાડા કે મગરની પૂજા કરવા લાગશે. નહીં તે નાસ્તિકની પેઠે કંઈ નહીં કરે; બધું છોડી દેશે. કિડુ અમારૂં દસ મન્તવ્ય છે કે એક બિલાડાની પૂજા કરે તેના કરતાં ઈશ્વરમૂર્તિની પૂજા કરવી તો સગણું સારું છે. તેમ જ કંઈ ન કરે તે કરતાં બિલાડાની પૂજા પણ છેવટે સારી.
સ્યાબી– અમને પણ લાગે છે કે પૂજન કરવાથી તેઓની વિશેષ ખરાબ દશા થશે.
સો – મહાશય ! યદિ એમ છે તો તમો અને બીજા જ્ઞાની પુરુષ હમણાં જ્યાં સુધી તેઓને ઉંચા દર્શનતત્વનું શિક્ષણ આપે છે અને તેઓ સમજી શકતા નથી ત્યાં બધી અમારે તેમને મતિપૂજાને વિશ્વાસ ઉઠાવો ન જોઈએ. તેઓ જ્યારે વિશેષ જ્ઞાની થશે ત્યારે તેઓ તમારાથી એ ભૂલ સમજી શકશે. અને જ્યાં સુધી તેમના હદયને પલટે ન થાય ત્યાં સુધી તેમનાં બાહ્ય અનુષ્ઠાને તોડી નાખવામાં શું આપણને પાપ ન લાગે ? સાધારણ મનુષ્યની વાત જતી કરીને જ્ઞાનીઓ તરફ ધ્યાન આપીએ. જેઓ જ્ઞાની છે તેઓ કોઈ જાતનું અજ્ઞાન કામ નહીં કરે અર્થાત તેઓ મૂર્તિપૂજા નહીં કરે. કેમ કે તે માત્ર અજ્ઞાન છે.
શાબી–કિન્તુ તેઓ પણ કરે છે. અમારા જેરજાલેમમાં નહીં, તમારા એથેન્સ નગરમાં અથવા આશભડૂ અને ટાયર શહેરમાં.
સે- જરૂર, અમારા એથેન્સમાં વણી મૂર્તિઓ છે, તે સાચી વાત છે. પરંતુ કઈ જ્ઞાની મૂર્તિ પૂજા કરતા નથી.
શ્યાબી—એમ હોય છે એથેન્સના દરેક જ્ઞાનીઓ નાસ્તિક છે. સો–કઈ રીતે નહીં. સ્યાબી–ત્યારે તમે શું કહેવા ધારો છો તે હું સમજી શકો નહીં.
સો—એ તદ્દન સત્ય છે કે એથેન્સ નગરના જ્ઞાનીઓ દેવદેવીઓની મૂર્તિની સામે ફૂલમાળા અને શ્રદ્ધાર્થ આપે છે, તેમ જ દેવદેવીઓની શોભાયાત્રા તથા ઉત્સવો કરે છે, છતાં તેઓ પણ પથરપૂજા કરતા નથી. પથ્થરની પૂજા પાછળ જે ભાવનું પ્રતીક છે –તે જ ઈશ્વર ભાવની પૂજા કરે છે. મતલબ! તેઓ આરસ કે પથ્થરને પૂજતા નથી, કેમકે તેઓ બરાબર સમજે છે કે પથ્થર–પુસ્તક કંઈ નથી, ઉકત પથ્થર કે લાકડાની પ્રતિમા જે ભાવનું પ્રતીક છે તે જ અસલી ભાવની તેઓ ઉપાસના કરે છે.
યાબી–તમે વળી એક પ્રભેદ ઊભો કર્યો. હું દેખી રહ્યો છું કે તમો ખૂબ પાંડિત્યના પક્ષકાર છે. એક મૂહૂર્ત પહેલા જેમ આપણે જ્ઞાની અને સાધારણ જનતાને ભેદ જોતા હતા તેમ અત્યારે ભાવ અને પ્રતીકની મિત્રતા પણ અનુભવાય છે.
સો–દેખો, આવી વિચારણાથી અમારી વિચારશક્તિ સૂક્ષમ મટી સહમતર બનતી જાય છે. તે વાત જવા દ્યો. જ્ઞાની પુરુષ મૂર્તિમાં રહેલ પથ્થરની પૂજા કરતા નથી. તે મૂર્તિ જે ભાવની ઘોક છે તે ભાવની અથવા સત્યસ્વરૂપ ઈશ્વરની પૂજા કરે છે. | શ્યાબી–સોક્રેટિસ ! તમે તમારા દેશની વાત કહો છો. હું તે દેશ સમ્બન્ધ કંઈ જાણતો નથી, એટલે તમે જે કહે છે તે સ્વીકારી લઉં છું.
સે– તમારો એ અગ્રતા માટે અમારા એક જ ઉત્તર છે કે “આ સૂર્યને જુઓ.” અજ્ઞાનીની પાસે આ સૂર્ય સિવાય બીજું કંઈ નથી, જ્યારે જ્ઞાનીની પાસે તેનું નિર્મળ કારણ આ સૂર્યમાં જે ભાવની પ્રતિતિ કે વિકાસ છે તે જ છે. જ્ઞાની પુરષો તેની પૂજા કરે છે. સૂર્ય તેની પાસે એક પ્રકારની પ્રતિમા છે.
For Private And Personal Use Only