Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાઠી ભાષાના કિલસ્કિર' માસિકમાં પ્રગટ થયેલ “જે ' વાર્તા અંગેનો પત્રવ્યવહાર | કિલેકરવાડી (જિ. સાતારા) થી પ્રસિદ્ધ થતા ‘કિર્લોસ્કર' માસિકના ગયા જુલાઈ મહિનાના અંકમાં શ્રીયુત ૬. પાં. ખાંટેની “3 રૂઝ' :શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. આ વાર્તામાં એક યતિના પાત્રરૂપે કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી ઘણું જ ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ અંગે અમે એ વાર્તાના લેખક તેમજ ‘કિલોસ્કર'ના તંત્રી સાથે પત્રવ્યવહાર કર્યા છે. કથાલેખકને બે પત્ર લખ્યા છતાં તેમના તરફથી હજુ કો ઉત્તર મળે નથી એટલે ‘કિર્લોસ્કરના તંત્રી તરફથી જે પય મળે છે તે સાથે અત્યાર સુધી બધે પત્ર વ્યવહાર અમે અહીં જનતાની જાણ માટે પ્રગટ કરીએ છીએ. હજુ આ સંબંધી પત્રવ્યવહાર ચાલુ છે એટલે આ અંગે અમારે જે કઈ કહેવાનું છે તે અત્યારે મોકુફ રાખીએ છીએ. એ પત્રવ્યવહાર અમે હિન્દી ભાષામાં કર્યો છે, અને “કિર્લોસ્કર'ના તંત્રી તરફથી મળેલો જવાબ મરાઠી ભાષામાં છે. એ બનેનું અમે અહીં ગુજરાતી ભાષાન્તર આપીએ છીએ અને સાથે સાથે હિન્દીભાવી જતા પણ આ વસ્તુ સમજી શકે અને મૂળ પત્રવ્યવહાર જળવાઈ રહે તે માટે તે હિન્દીમાં પણ આપ ઉચિત ધારીએ છીએ. વ્યવસ્થાપક, કથાના લેખક શ્રી. દ. પાં. ખાંટને લખાયેલે પણ અમદાવાદ, તા. ૧૯-૧૦-૪૦ શ્રીયુત દ. પાં. ખાંટે મહાશય, કિલશ્કર' માસિકના ગયા જુલાઇ માસના અંકમાં આપે લખેલી ઊંચે ઊળ” શીર્ષક એક કથા પ્રગટ થઈ છે. આ કથા કાલ્પનિક નહીં પણ અતિહાસિક હોવાનું આપે લખ્યું છે અને કથાના અંતમાં Bombay Gazetteer vol. 1 Part 1. History of Gujarat (બઓ ગેઝેટીયર)નું નામ આધાર ગ્રંથ તરીકે લખ્યું છે. અમને એ લખતાં સસ્તુ અફસોસ થાય છે કે આ કથા સર્વથા કપિત, અસત્ય અને આપ આપે છે એવા એતિહાસિક આધાર વગરની છે. બેબે ગેઝેટિયરના જે ઉલ્લેખને આધારે આપ આપની “ચે ઊંળની કથાને પ્રમાણિત કરવા ઈચ્છે છે તે ઉલ્લેખ આ છે "Among the stories told of the king's zeal for liti-saring is one of a Bonia of Samobara who having been caught killing a Joure was brought in chains to Anbilwada and had lis puoperty confiscated and devoted to the buikling at Alhilaad of a Loyse Temple or Yukavihar." આને સ્પષ્ટ અર્થ એ છે કે-- “મહારાજા કુમારપાળે મારવા તે ગુન્હામાં પકડાએલ સાંબરના વતની એક વાણિયાની સંપત્તિ જપ્ત કરાવી લીધી અને તે સંપત્તિમાંથી એક મંદિર બંધાવ્યું જે “કાવિહાર” ના નામે પ્રસિદ્ધ થયું.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44