Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરાક૯૫ કર્તા–શ્રીમદ્ જિનપ્રભસૂરી અનુમુનિરાજ ન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) જિતશત્રુ નરેન્દ્ર પુત્ર કાલસિત ૪ શંખ રાજર્ષિને તપ–પ્રભાવ જોઈને, મુનિ, હરસ અને મસાથી પીડિત એવા સમદેવ વિપ્ર ગજપુરમાં જઈને દીક્ષા પિતાના શરીરમાં નિસ્પૃહ એવા અને લઈ સ્વર્ગ ગયે. અને કાશીમાં હરિકેશી તેમુગલગિરિમાં ઉપસર્ગ સહન કર્યો. અષી નામે દેવ પૂજ્ય થયા.૧૫ ૧૪ કાલવેશિમુનિ મથુરામાં છતશત્રુ રાજાને કાલા નામની વેશ્યા પત્નીથી કાલવેશીકુમાર થયે. તેની બહેન મુગશેલ હતી અને તેને હતશત્રુરાજા સાથે પરણાવી હતી, કાલવેશી કુમારે યુવાવસ્થામાં દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં પિતાની બહેનની રાજધાનીમાં પહોંચી ગયા. તે વખતે કાલવેશીને હરસમસાનું ભયંકર દરદ થયેલું હતું. બહેને મુનિને ભિક્ષામાં દવા હેરાવી. મુનિએ દવાને અધિકરણ માની અનશન સ્વીકાર્યું. અહીં આ વખતે પૂર્વ ભવના વૈરી વ્યંતર દેવે શીયાળનું રૂપ કરીને મુનિને ઘણું ઉપસર્ગો કર્યા. મુનિરાજે મન વચન અને કાયાની એકાગ્રતાથી નિશ્ચલપણે તે ઉપસર્ગો શાન્તિથી સહન કર્યા. ૧૫ શંખરાજર્ષિ, સોમદેવ અને હરિકેશીબલા મથુરામાં રાજકુમાર યુવરાજ શાંખકુમારે દીક્ષા લીધી; દીક્ષા લઈ તે હસ્તિનાપુર ગયા. ગામમાં ભિક્ષા માટે જવા રસ્તા પુ. સેમદેવ નામના બ્રાહ્મણે જાણી જોઈને સખ્ત ગરમીથી ગરમ થઈ ગયેલે ભયંકર રસ્તો બતાવ્યું. મુનિરાજની તપસ્યાના બળે ગરમ રસ્તા પણ ઠડે થઈ ગયો. આ જોઈ સમદેવ ચમક્યા અને મુનિરાજને ખેટે રસ્તે ચઢાવ્યા તેના પ્રાયશ્ચિત્તરૂપે તે મુનિરાજ પાસે તેણે સાધુપણું સ્વીકાર્યું. સોમદેવે સાધુપણું લીધું ખરું પણ તેનું જાતિનું અભિમાન-ગર્વ ગળે ન હતો. જેથી મૃત્યુ પામી કાશીમાં મૃતગંગાને કાંઠે ચાંડાલ બલકેહરિકેશીની પત્ની ગૌરીની કુક્ષિમાં પુત્રપણે જન્મ લીધો. પિતાએ તેનું નામ બહરિકેશી ચાંડાલ રાખ્યું. આ ચાંડાલપુત્રને નિર્બલતા અને સબલતાનો વિચાર કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે; અને તેણે દીક્ષા લીધી. મુનિ બન્યા પછી હિંદુક વનમાં રહી ધ્યાન કરવા લાગ્યા. મુનિરાજનું ધ્યાન નિરખી વનને માલિક ગડિનિંદુક યક્ષ મુનિરાજન સેવા બન્યા અને નિરંતર સેવા કરવા લાગે. એકવાર કૌશલિકની રાજકન્યા ભદ્રાએ મુનિરાજને તિરસ્કાર-અપમાન કર્યું; યક્ષરાજે ભદ્રાને મુનિની આશાતનાનું ફળ ચખાડયું, શિક્ષા કરી. જેથી નગરમાં મુનિરાજનું મહાત્મા ફેલાયું. જાતિથી ચંડાલ હોવા છતાં આ મુનિરાજ ઋષિ, બ્રાહ્મણ, રાજા અને દેવતાયી પણ પૂજિત થયા. (ઉ. સૂ૦ અ ૧૨ સૂ૦ ૧-૬ નિર્યુકિત ગાથા ૨૨ થી ૨૬ ૨૫ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37