Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1179
________________ ૧૧૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન શાહ બાબુલાલ વાડીલાલ જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો સદુપયોગ કરનારા પરિવારોમાં શેઠશ્રી બાબુભાઈના પરિવારનો સમાવેશ થાય છે. સ્વ. શ્રી વાડીલાલ દેવચંદ શાહના સુપુત્ર શ્રી બાબુભાઈનો તા. ૪-૧૧૯પરમાં જન્મ થયો, મેટ્રિક સુધીનો અભ્યાસ પણ કોઠાસૂઝ વિશેષ. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા. જૈન સાધર્મિક ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું મન બચપણથી જ તડપતું રહ્યું. શાસનસેવા અને અન્ય સામાજિક સેવાની શરૂઆત પોતાની પચીશ વર્ષની ઉંમરથી શરૂ કરી. પોતાના નાના પુત્રના આકસ્મિક અવસાનથી તેમના જીવનમાં ભારે મોટું પરિવર્તન આવ્યું અને વધુ જાગૃત બન્યા. પિતાશ્રીના અવસાન પછી પિતાશ્રીએ ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર ચાલવા પ્રયત્ન કર્યો. સેરીસા અને તળાજાની જૈન ભોજનશાળાઓ જેની સ્થાપના પિતાશ્રીએ કરેલી એ સંસ્થાઓને સતત માર્ગદર્શન આપી તેના સંચાલનમાં પૂરો રસ દાખવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાઓની સેવા બજાવી. વતન ગેરીતામાં જૈન દેરાસરનું કાર્ય પણ રસપૂર્વક છેવટ સુધી કરતા રહ્યા. શ્રી બાબુભાઈના જીવનની ફળશ્રુતિમાં મહત્ત્વનું કામ એ થયું ગણાય કે શ્રી શેરીસા જૈન તીર્થમાં ભોજનશાળાની પિતાશ્રીએ કરેલી સ્થાપના પછી ભોજનશાળા ખોટમાં ગયા પછી પણ સંસ્થાનો વહીવટ પોતાના હાથમાં લીધો. પચીશ હજારની ખોટ સાથે મંત્રી તરીકે વહીવટ સંભાળ્યો. પંદર વર્ષ એકધારી સેવા આપીને તેઓ ગયા ત્યારે તેમના હસ્તક ભોજનશાળાનું કાયમી ફંડ રૂપિયા ચાર લાખ તરતું કરીને ગયા. આ એમની સેવાનો અનન્ય પૂરાવો છે. ચોગરદમ વિશાળ સ્નેહીવર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૧-૧૨-૮૩ના રોજ સંવત ૨૦૪૦ કારતક વદ ૧૨ ગુરુવારે તેઓ સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીલાલ દેવચંદ શાહ ગરવી ગુજરાતની ભૂમિ જીવંત તીર્થભૂમિ છે. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામ નાની વાટકડી જેવું પણ કેસર-ચંદનની વાટકડી જેવું છે. કારણ અહીંના શ્રેષ્ઠીઓએ પરોપકારનાં કેસર વહાવવામાં પોતાનો ધર્મ માન્યો છે. અહીંના સેવાભાવી સજ્જનોમાં શેઠશ્રી વાડીલાલ દેવચંદનું નામ અગ્રગણ્ય છે. પિતાશ્રી દેવચંદભાઈ મૂદુ-સરળ સ્વભાવી અને ધર્મભીરુ જીવ હતા, વ્યાપારમાં સાહસિક હતા. ગેરીતાથી ધંધાર્થે મુંબઈ ગયા. અહીં સંવત ૧૯૪૧માં શ્રી વાડીભાઈનો જન્મ થયો. સંજોગોવશાત્ શ્રી દેવચંદભાઈ પાછા વતનમાં આવ્યા અને થોડા સમયમાં સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીભાઈ ઉપર સઘળો બોજો આવી પડ્યો. સં. ૧૯૬૦માં ટૂંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી સંવત ૧૯૬૮માં સ્વતંત્ર થયા ને વાસણની નાની દુકાન ખોલી. પૂર્વ પુણ્યોદય અને પ્રમાણિકતાએ ચૌદ વર્ષમાં એકમાંથી ચાર દુકાનો કરીને ધંધાનો ઝડપી વિકાસ સાધ્યો. લક્ષ્મી વધી એટલે ધંધાની જવાબદારી ધર્મપ્રેમી પુત્રોને સોંપી પોતે નિવૃત્ત થઈને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા લક્ષ કેન્દ્રિત કર્યું. શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બન્યા. તીર્થધામ પાલીતાણા નવપદની હું ઓળી, મુંબઈમાં શાશ્વતી ઓળી વગેરે ઉપરાંત નવપદ ઓળી સિવાય વર્ધમાન તપની પચાસ ઓળી પૂરી 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192