Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad
View full book text
________________
૧૪૪
જૈનધર્મચિંતન છે, પણ બધાં કાર્યદ્રવ્યો સૈકાલિક સત નથી હોતાં. તેઓ તો પ્રથમ અસત્ હોય, પણ પછી સત્ થાય અને પાછા અસત્ થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે, કેટલાંક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય–વિશેષ છે. પણ વિદાંતની જેમ જે કાંઈ સત છે તે માત્ર સામાન્ય જ છે, અર્થાત્ સર્વસંગ્રહી જ છે, એક જ છે, એમ ન્યાય-વૈશેષિકે માનતા નથી. વૈશેષિકાના આ મંતવ્યને જૈન દર્શને ગમનય કહ્યો છે, એટલે કે તેઓ સામાન્ય અને વિશેષ બનેને માને છે. માત્ર સામાન્ય કે વિશેષને નહિ, પરંતુ આમ છતાં તેઓ એક જ વસ્તુને સામાન્ય-વિશેષાત્મક તો નથી જ માનતા, જેવી રીતે જેને માને છે. આથી તેઓને મત પણ એક સ્વતંત્ર નય છે. જેનું મંતવ્ય છે કે, સામાન્ય વિ વિશેષ ન હોઈ શકે અને વિશેષ વિના સામાન્ય ન હોઈ શકે. આથી બંને પરસ્પરાશ્રિત હોઈ સ્વતંત્ર નથી; એક જ વસ્તુના બે પાસા છે.
વેદાંતની જેમ જ સાંખ્યો પણ સને શૈકાલિક જ માને છે. આથી તેમના મતે કઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંખ્યોની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામ-કાર્યો આર્વિભૂત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હોઈ બધા એક જ રૂપ છે. આથી કઈ પણ વસ્તુને ક્યાંય પણ અભાવ નથી. સર્વ
મક એવી માન્યતા સાંખેની છે. તેમના આ વાદને સત્કાયવાદ કહેવામાં આવે છે. આથી વિરુદ્ધ નિયાયિકા, વૈશેષિકે અને બૌદ્ધો અસતકાર્યવાદી છે. તેમને મતે કાર્ય જે ઉત્પત્તિની પહેલાં પણ સતુ હોય તો તેના ઉત્પાદનો પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને તેની ઉત્પત્તિની પૂર્વે અને વિનાશની પછી અસત જ માનવું જોઈએ. આ બંને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનોએ દ્રવ્યપર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે સત છતાં પર્યાયરૂપે અસત માનવું જોઈએ. માટી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટ તે નવા બનતા-બગાડતા હોઈ તે તે યે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાયનોનો છે.
અર્થનય અને શબ્દનય–વસ્તુવિચાર કરનારા અર્થન છે, પણ વ્યવહારાતા શબ્દોને અર્થ કેવી રીતે કરો એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ મને રામાવેશ શબ્દ . ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186