Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] સુક્તમુક્તાવલી : સિંદૂર પ્રકર શ્રેયની-કલ્યાણની કામના હોય તે કરે છે અને તે સેવાનું ફળ શું તે અત્ર બતાવ્યું છે. સંઘની સેવાથી સતપુ.ય-પુયાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે ઉત્તરોત્તર વધવા પુણ્યના પ્રભાવથી ઉત્તરોત્તર ઉન્નતિ સાંપડે છે અને તેથી કરીને આ લેકમાં તમી મળે છે, કી િવિસ્તરે છે, લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે, બુદ્ધિ ઉલ્લસે છે અને પલેકમાં વર્ગ સાંપડે છે, ચાવતું મુક્તિ પણ મળે છે. અત્રે જે સંઘની સેવા કહી તે સેવા-ભક્તિ કેવા કેવા પ્રકારે થઈ શકે ? તેને દેશકાળનુસાર વિવેકથી વિચાર કરવા ગ્ય છે. સાધુ અને શ્રાવક પ્રત્યે શ્રાવક શી શી સેવા બજાવી શકે તેને વિચાર કર્તવ્ય છે. સાધુને વિશુદ્ધ અન્ન-પાન, જ્ઞાનેપકરણ આદિની જોગવાઈ કરી આપવાથી, સંયમ ધર્મમાં સ્થિરતા થાય તેવી અનુકૂળતા કરી આપવાથી, દેશકાળ વિરુદ્ધ વર્તન વિનયપૂર્વક નિવારવાથી, અનુચિત પ્રવૃત્તિ કરતાં રોકવાથી, માગુંચુત થતાને ચેતવવાથી અને ઠેકાણે લાવવાથી ઇત્યાદિ અનેક પ્રકારે સાધુ-સંસ્થાની સેવા શ્રાવક કરી શકે. વિશુદ્ધ ધર્મના પ્રદેશ આપીને, વહેમ-અજ્ઞાન-કુશંકા આદિનું નિવારણ કરીને, કુરૂઢિઓનો નાશ ધન. સમાજમાં એજ્યની વૃદ્ધિ થાય એવી સાચી સમજણ આપીને પોતાના આદશે ચારિત્રથી દષ્ટાંતભૂત થઈન-ઇત્યાદિ રીત સાધુવર્ગ આવક સમુદાય પ્રત્યે પોતાની સેવાને ફાળો આપી શકે. પિતાના પશન પ્રમાણે નિરભિમાનપણે જ્ઞાનદાન આપીને, લાનતપવી, વૃઢ આદિનું યાચિત વૈયાવચે કરીને, ખલના થતાં સુધારણા કરીને, માર્ગ ભ્રષ્ટ થતાં નિવારીને નિર્દભ અને નિર્મળ વર્તન રાખીને, ધર્મમાં સ્થિરીકરણ કરીને અમ અનેકાનેક રીતે સાધુ પ્રત્યે પોતાની સેવાનો હિસ્સો શ્રાવક આપી શકે. સીદાતા દાખી સાધમિકને યથાશક્તિ મદદ કરીને પિતાના વ્યવસાયમાં તેને જેટીન અથવા હસ્તાવલંબન આપીને, સાધમિક બાળકે માટે વિદ્યાથીગૃહો, વિદ્યાલયે, જ્ઞાનશાળા, શિષ્યવૃત્તિ આદિને પ્રબંધ કરીને, ગાર્ન બાંધવા માટે હૈપ્પીટલ વગેરેની યોજના કરીને અને આરોગ્યવર્ધક બેધને પ્રચાર કરીને, ડાબો હાથ આપે અને જમણો હાથ ન જાણે એવી રીતે યથાશક્ય સર્વ સહાય કરીને, સાધમિકામાં જ્ઞાનપ્રચાર વધે એ હેતુએ સુંદર જ્ઞાન ની પ્રભાવના કરીને ( વર્તમાનની પ્રભાવના તો પતાસામાં કે શ્રીફળમાં જ પોત થઈ ગઈ છે ) અને વિવેકથી વિચારતાં જે જે રીતે સર્વદેશીય ઉન્નતિ થાય તે તે સાધનને શ્રેય કરીને ઈત્યાદિ પ્રકારે શ્રાવક શ્રાવક પ્રત્યે સેવા બજાવી શકે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38