Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri થી જેન ધમ પ્રકાશ. લોકોની તુચ્છતાથી તારે મુંઝાવું નહિ; યાદ રાખ કે જે તારામાં મહાન ચી કરવાની મહત્તા નિર્માણ થઈ હશે, તે નાની બાબતે અવગણવા જેટલી વિશાળતા પણ તારામાં આવી જ ગઈ હશે.” કેટલાએ માણસ પાસે દીવાસળી ( કાંડી) જેવી ચીજ માગશે, તે તેની પાસે હશે છતાં ને ના પાડશે. રસ્તા પર મોટરના અકસ્માતનો ભોગ બનેલ માણસના માથામાંથી લોહી વહી Mય છે, બીજે ધનવાન મોટરમાં આવે છે અને લેહીં જોયા છતાં ખબર પૂછયા વગર કે મદદ કર્યા વગર રસ્તે પડે છે. કોઈ વિના કારણે અન્યની નિંદા કરે છે. કાઈ પાક માણસ દાન કરતા હોય તેની પ્રશંસા ન સહન થવાથી ખેટાં સાચા છીંડાં શાધી ટીકા કરે છે. મનુષ્યની તુછતાના દાખલાઓને પાર આવે તેમ નથી. ખાવું નહિ તે ટાળી નાંખવું, બેટી બડાઈ હાંકવી, પારકાં છિદ્ર શોધવા, અદેખાઈ કરવી, દંભ કરી હૃદયમાં કાંઈ હોય, છતાં મુખેથી જુદું જ કહેવું, બીજા માણસોને લડાવી મારવા, પારકું ઘર બળતું જોઈ આનંદ માણવા, ચાડીયુગલી કરવી-વિગેરે વિગેરે. આવી તુછતાની નોંધ લઈએ તે પારે આવે તેમ નથી. દુનિયામાં જેમ ઊંડા ઉતરવામાં આવે છે તેમ વધારે ને વધારે કચરો દેખાય છે, પણ તારે આવી હલકી બાબતથી જરા પણ મુંઝાવા જેવું નથી. તું અન્યની તુરછતા તરફ નજર કરવાને બદલે તારા પોતાના હૃદયમાં ઊંડા ઉતર, એટલે તેને ઘણું આંતર, નિરીક્ષણ થશે. તત્ત્વદશની તે આ દશા હોય. એ બહાર જવાને બદલે અંદર જુએ, એ સામાને જેવાને બદલે પિતાને જુએ, એ બાહ્ય ચક્ષુને ઉપયોગ બંધ કરી અતચક્ષુને ઉઘાડે. પછી તો એને નવું દૃષ્ટિબિન્દુ જ પડે છે. જે એનામાં મહાન કાર્ય કરવાની વિશાળતા હશે તે એને દષ્ટિબિન્દુમાં મોટો ફેરફાર થઈ જશે. એ અન્યની તુચ્છતા જે તે પર વિચાર બતાવવાને બદલે એને નબળાઈ ગણી, પચાવતા શીખી જશે. એને મનમાં થશે કે પિત પારકાની તુલના કરનાર કોણ? એને લાગશે કે તેની પોતાની એટલી બાબત સંભાળવાની છે કે અન્યની તુચ્છતા વિચારવાને કે એનાથી મુંઝાઈ જવાનો અને સમય જ નથી. આપણે આપણું સંભાળીએ તે બસ છે. તત્વચિંતક કે દીર્ઘદૃષ્ટાની આ દશા હોય. એનામાં એટલી વિશાળતા હોય કે અન્યની તુછતા પચાવી પણ એ જ જાણે. એને એટલી આર્ષદષ્ટિ પ્રાપ્ત થઈ જાય કે એ તુચ્છતાને ગ્ય સ્થાન આપી, એને વિકાસક્રમ સમજી એનું મૂલ્યાંકન કરી નાખે. મહાન પુરુષોની વિભૂતિઓ મહાન જ હોય છે, યોગીઓના આદર્શો ભવ્ય હોય છે, વિશાળ જીવનની વિહાભૂમિઓ વિશદ હોય છે. એ અન્યની લઘુતા દેખી કરુણ લાવે, પણ પોતાની ભૂમિકાથી ભ્રષ્ટ ન થાય. ઉપાયથી અસાધ્ય હોય તે મધ્યસ્થ રહે, પણ એની નિલગિક વિશાળતા એને નીચતાને માગે ધકેલે નહિ કે એના મનની નિશળતા એથી નષ્ટભ્રષ્ટ થાય નહિ. વિશાળતા કેળવી શકાય છે. કુશળ મનુષ્યને તે સુસાધ્ય છે. Let uct the littleresa oi tbe people distrub you, remember that ii you have been made big eriouso to co big things in life, you have been made large enough to overlook little things. JOHN T. MOORE (28.7.36) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38