Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમ્ર નિ વેદનું સુવર્ણ મહોત્સવના સંભારણારૂપે, શ્રી જૈન ધર્મ પ્રકાશના વાચકો અને ગ્રાહકોની સેવામાં આ વિશેષાંક રજુ કરતાં અમને અતિ આનંદ ઉપજે એ સ્વાભાવિક છે. વિશેષાંકની વિશિષ્ટતા જાળવવા, સામાન્ય એક કરતાં આ અંકને કંઇક વધુ આકર્ષક અને સંગીન બનાવવા અમે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા સંબંધી આંક કાઢવાનું અમારા વાચકે તેમજ ગ્રાહકોની મુનસફી ઉપર છોડીએ છીએ. વિશેષાંકને વિચાર કંઈક મોડે સુઝથો. અંકને અલંકારવા જે સાધને જોઈએ તે પણ એટલાં સુલભ ન હતાં. વિશેષાંક્ના લેખકે એ જે અમારી વિનતિ ઉત્સુકભાવે સ્વીકારીને તરતમાં જ લેખે ન મોકલી આપ્યા હોત તો અમે આટલી ત્વરાથી કદાચ આ અંક તૈયાર કરી શક્યા ન હોત. વિદ્વાન લેખકોની સહાયથી જ આ વિશેષાંક હેલે પ્રકટ થાય છે. ખરું જોતાં આ અંક એમને જ આભારી છે. અમે અહીં નમ્રભાવે એ ઋણ સ્વીકારીએ છીએ. લોકભોગ્ય અને વિકભોગ્ય સાહિત્યના એવા બે ભાગ તો રહેવાના છે. આ વિશેષાંક વિષે પણ એ પ્રશ્ન ઉઠવાને. શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક આજથી પચાસ વર્ષ ઉપર જગ્યું ત્યારે તે સામાન્ય જનસમુદાયનું માસિક હતું અને આજે પણ એ સમુદાયને માટે જ જીવે છે. એટલે એની લેખ-સામગ્રી વિદભોગ્ય ન બની શકી હેય એ બનવાજોગ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 213