________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતશિલ્લાના રાસનું રહસ્ય.
૧૯૭ દુનિયાની બધી ખુશામત બળીને ખાખ થઈ જાય છે. સ્નેહ એજ આનંદ અને સુખ છે. વાસનાઓથી દુઃખી થયેલા આત્માઓનું એ વિશ્રામસ્થાન છે.
વિશ્વમાં આપણા સામાન્ય જીવનમાં કોઈ પણ ભો" આપવાથી અથવા સત્યના અગમ્ય પંથને શોધવા માટે સ્વાર્થ ઉપર જીત મેળવવાથી સુખ અથવા જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમજ કીર્તિ તે તેની સાથે હોય છે. તેની ઈચ્છા અથવા તે મેળવવા માટે પ્રયત્ન પણ કરવો પડતો નથી. જેઓ પોતાના ઉપર કોઈ જીત મેળવે છે અથવા કોઈ ક્રૂર વિચાર, અપવિત્ર ઈચ્છા કે હરકેઈ પાપવૃત્તિને તાબે કરે છે-તેના ઉપર જીત મેળવે છે, તેઓ હંમેશાં બળવાન પવિત્ર અને ડાહ્યા થાય છે અને દરેક પળે તેઓ સુંદર સત્યના વળત પ્રકાશની પાસે અને પાસે જાય છે.
સત્યના પ્રકાશ અથવા ખરા સુખ માટે તમારી બહુાર અથવા તમારી દ્રષ્ટિથી દૂર જ નહિ, પરંતુ તેને માટે તમારા આંતરમાં જોશો, અન્વેષણ કરશે. તમે તેને તમારા કર્તવ્યના ન્હાના વર્તુળમાં અરે! તમારા હૃદયના ન્હાના અને છૂપા આમત્યાગમાં પણ તેને જરૂર શેધી શકશે. તેને માટે બહાર ભ્રમણ કરવાની મુદત જરૂર નથી.
દુલભદાસ કાલિદાસ શાહ,
हितशिक्षाना रासनुं रहस्य.
(અનુસંધાન પૃષ્ઠ ૧૦૬ થી ). રાસના કર્તા ઋષભદાસજી કહે છે કે –
પુત્રીમરણ ગણુછેદ ને. વિદ્યા ઓષધ ધર્મ
ડપભ કહે દુઃખ તે નથી, પછી દિયે સુખ પામે.
પુત્રીનું મરણ થવું, ત્રણ આપી દેવું, વિદ્યાભ્યાસ કરે, ઔષધ કરવું ને ધર્મ કરે તેમાં પ્રથમ દુઃખ લાગે છે પણ વાસ્તવિક તે દુ:ખ નથી, પાછળ તે પરમ સુખને આપનાર થાય છે.” અને
કુપથ્ય પરિગ્રહ શ્વામિથુન, પાપ કરજ ને ઘાયલ રણ કરવાં છે સેહિલા, નિર્વહતાં દુઃખ થાય.
કુપ કરવું, પરિગ્રહ મેળવે, શ્વાને મૈથુન સેવવું, પાપ કરવું, કરજ કરવું, કેઈની ઉપર ઘા કર અને રણ તે યુદ્ધ કરવું તે પ્રથમ તે સુલભ લાગે છે, પરંતુ તેના પરિણામે તેને નિર્વાહ કરતાં અત્યંત દુઃખ થાય છે.”
કેઈનું દેવું કર્યા પછી જે તે પાછું દઈ શકાય નહીં તે તેના ઘરનું દાસપણું - 2 viી હટવાનો પ્રયાસ કરે નહીં તે પરભવમાં તપી જ
For Private And Personal Use Only