________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પટનેધિ અને ચર્ચા
૩૫૫ થતી હોય એવી માન્યતાએ જડ ઘાલી છે, તેનું પરિણામ છે. પિતાના પતિની આજ્ઞા મેળવ્યા પછી જવું એજ જૈનધર્મનું ફરમાન છે. આવા ફરમાનેને પાઠ વ્યાખ્યાનાદિમાંથી લોપે પામવાથી આવું પરિણામ આવ્યું છે. એનું ફળ એ થાય છે કે ગૃહવ્યવસ્થામાં મેટો ક્ષેમ ઉભું થાય છે. પતિને ખાવાપીવાના સાધનમાં ગેરવ્યવસ્થા થાય છે, બાળકે રડ્યા કરે છે, અને ઘરનો નકામે બોજો પતિ ઉપર આવી પડે છેગૃહવ્યવસ્થામાં ડખલ કરીને, પતિને અશાતા ઉપજાવીને અને બચ્ચાંઓને રોતાં કકળતાં રખડતાં મૂકીને ધર્મસ્થાને દડવામાં લાભ કરતાં નુકશાન વિશેષ છે. દરેકને શાતા ઉપજાવવી એમાંજ ખરેખર જેન ધર્મ રહ્યો છે. ઘરનાં માણસને અશાતા ઉપજાવી ધર્મ બાંધવા જવું એ તે હસવા જેવું જ ગણાય. જૈન કેમમાં પતિસેવા અને બાળકોની સારવારનું સૂત્ર નષ્ટ થઈ ગયું છે, અને લખું સુકું ધર્મતંત્ર વૃદ્ધિ પામતું જાય છે. આ વાત અમને તો અતિશયોક્તિ ભરેલી અને અપવાદસૂચક જણાય છે. ખરેખરા જેન ધર્મની વ્યાખ્યા કરવામાં પણ તેમ છે બહુ ભૂલ ખાધી છે. જેને બહેનેની ધર્મમાં આવી આસક્તિ થઈ હોય તેવું અને મારા જાણવામાં તે આવેલ નથી. જે તેમણે કેટલીક વિધવાઓ કે જે સંતતિ વિનાની હોય છે તેને માટે લખ્યું હતું તે તે માની શકાત વળી આગળ ઉપર સિદ્ધનાં, પંદર ભેદમાં ગૃહલિંગે સિદ્ધનો ભેદ દર્શાવી તે બંધુ શું સૂચન કરવા માગે છે તેની સમજણ પડતી નથી. તેમના વિચાર પ્રમાણે તે ગ્રહલિંગ ને સ્ત્રીપણે સિદ્ધ થવામાં માટે વિરોધ આવશે -બની જ નહીં શકે. પતિપરાયણ રહેવું, ગૃહવ્યવસ્થા સાચવવી તેમાં મતભેદ નથી, પણ જેન હેનની સ્થિતિને જે ખ્યાલ તે બંધુ આપવા માંગે છે તે સત્ય હોય તેમ અમને જણાતું નથી. એક સાથે પ્રસિદ્ધ થયેલા બે જૂદી જૂદી દષ્ટિ દેખાડનારા લેખ વાંચતાં આ ખાસ અંકમાં નવીન આનંદ અનુભવાય છે..
.
હોટ હેટા ગામમાં જ્યાં જેનોની વસ્તી સારી હોય છે ત્યાં મોટા મોટા પર્વના દિવસોમાં ખાસ કરીને દેરાસરોમાં દર્શન કરવા જતાં ઘણી ભીડ જોવામાં આવે છે. સ્ત્રી-પુરૂને ઘટ્ટ થઈ જાય છે, અને કોઈ કોઈ વખત તે વૈષ્ણવોના મંદિરમાં દેખાતો દેખાવ પણ થઈ જવાને ભય રહે છે. શાસ્ત્રકારે તે પ્રથમથી જ આવી વાતના જ્ઞાતા હતા, તેથી દેવવંદન ભાષામાં તેમણે સ્પષ્ટ આદેશ કરેલ છે કે–વંતિ નિ યાદી વિકિટિકા પુરિ વારિરિ નારી. પુરૂષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહીને જિનેશ્વરને વંદના કરવી, અને ચૈત્યવંદન કરવા બેસતાં પણ તેજ વ્યવહાર સાચવવે. જે આ નિયમ દઢતાથી પાળવામાં આવે તે જે સંઘટ્ટ થતો દેરાસરમાં જોવામાં આવે છે, અરસ
For Private And Personal Use Only