Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનધર્મ પ્રકાશ. જે એમજ હોય તો લીધેલું દ્રવ્ય ભોજરાજને પાછું દઈને જ ઘરે જવું. - વાર થઈ એટલે પહેલા બળદને ઘાંચીએ ઘાણીમાં ડો. બહુજ અશક્ત અને જીર્ણ થઈ ગયેલ હોવાથી ચાર ફેરા ફર્યો ત્યાં તો પડીને મરણ પામે. વાણીઆને એક વાતની તે ખાત્રી થઈ એટલે ચટપટી વધી પડી અને એમ ખાત્રી થવા માંડી કે પરભવમાં પણ ઋણ દેવું પડે છે. વધારે ખાત્રી કરવા માટે તરત જ તે ભોજરાજ પાસે ગયો અને રાત્રીની હકીક્ત યથાર્થ કહી બતાવી. રાજા જાણતાજ હતો કે પરભવમાં દેવું પડે છે તે પણ પોતાની અને વાણીઆની વિશેષ ખાત્રી કરવા સારૂ તરતજ તેણે ઘાંચીના બળદને અને પોતાના પટ્ટહસ્તિને બોલાવી બંનેને લડાવ્યા. બળદ મહા જોરાવર હોવાથી છો એટલે રાજાએ ઘાંચીને લક્ષ દ્રવ્ય આ પ્યું અને બળદને ઘાંચીના રણમાંથી છોડાવ્યો. વાણીઓ પણ ડાહ્યા એટલે તરતજ લીધેલું લક્ષ દ્રવ્ય રાજાને પાછું આપ્યું અને કરાર રદ કરાવી પિતાને ઘરે ગયો કહ્યું છે કે – ઈહિ ભવ દેણું દોહિલું, પરભવ વળી વિશેષ; દૃષ્ટાંત સાંભળી બળદ, તજીએ રણો અશેષ. ૧ - ઉપરના દૃષ્ટાંત ઉપરથી સાર એ લેવાને છે કે આ ભવમાં કરેલું દેવું પ્રમાણિકપણે વર્તીને દઈ દેવું. એ બાબતની ઉપેક્ષા કરવી નહીં. ઉપેક્ષા કરવાથી પરભવમાં વિશેષ દુઃખ સહન કરવું પડે છે. આ સંબંધમાં શ્રી હિત શિક્ષાના રાસ વિગેરેમાં પણ અધિકાર છે કે પૂર્વે કેટલાક લેણદાર થઈને આવે છે અને કેટલાક દેવાદાર થઈને આવે છે. લેણદાર પત્ર ગર્ભમાં આવે ત્યારથી અનેક પ્રકારના સાંસારીક ખર્ચા કરાવે, જન્મ મહોત્સવમાં ખર્ચ કરાવે એમ કરતાં કરતાં જેટલું લેણું હોય તેટલું પુરૂ થાય કે અન્ય ભવમાં ગમન કરે અર્થાત મૃત્યુ પામે. દેવાદાર પુત્ર ગર્ભમાં આવે કે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, ચારે બાજુથી આવાદાની થાય અને જનમ્યા પછી પણ વયે વૃદ્ધિ પામીને સારી પેઠે લક્ષ્મી ઉપાર્જન કરી માતા પિતાની ભક્તિ કરી દેવું પુરૂં કરે. તેથી સાર એ ગ્રહણ કરવાનો છે કે કોઈનું દ્રવ્ય છતી શક્તિએ બધાનત કરીને પચાવી પડવું નહીં. કેમકે આ ભવમાં ન આપીએ તો પરભવમાં પણ દેવું પડે છે. અલંવિસ્તરેણ! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20