________________
(૧૦૧)
ઉત્તર ૩૨– ઉપધાન વાચનાને શ્રાવિકાઓ ઉભી રહીને સાંભળે અને શ્રાવકે ચૈત્યવંદન મુદ્રાએ સાંભળે.
પ્રશ્ન ૩૩–પિસહગ્રહણ કરેલે શ્રાવક વસ્ત્ર વડે મસ્તકને બાંધીને જીનેશ્વર પ્રભુના મદિરમાં જઈને દેવ વન્દન કરી શકે કે નહિ?
ઉત્તર ૩૩–વાસ્તવીક રીતે પસહ ગ્રહણ કરેલા શ્રાવકને મસ્તક બાંધવાને અધિકાર નથી પરંતુ કેઈપણ કારણ હોય તે ફાળીઆ એનામથી પ્રસિદ્ધ વસ્ત્ર વડે મસ્તક બાંધી જૈનમંદીરને વિષે દેવવન્દનાદિ કિયા કરવાની છુટી છે તેને માટે બીજું કાંઈ વિશેષ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૪–સંવત્સરીને ચતુર્દશીને અષ્ટમીને જ્ઞાન પંચમીને અને રોહિણીને તપ જેણે માવજીવ સુધિ ઉચ્ચ. રેલે હેય તેણે સંવત્સરી ચઉદશ અષ્ટમી અને જ્ઞાનપંચમીની આગળ અથવા પાછળ રહીણી આવી હોય અને છઠ કરવાની શક્તિ નહોય તે શું કરવું?
ઉત્તર ૩૪ કેઈપણ રીતે છઠ તપ ન કરી શકાય તે ઉપરોક્ત તપમાંથી જે તપ પ્રથમ આવે તે તપ તે વ્યક્તીએ પહેલે કરવો અને રહી ગયેલા તપને પછીથી કરી લેવું.
પ્રશ્ન ૩૫-શ્રાવકને અગ્યાર અંગ સંભળાવતે સમયે નદી સ્થાપન કરવી કે નહીં?
ઉત્તર ૩૫-શ્રાવકોને અગ્યાર અંગ સંભળાવતી વખતે નંદી સ્થાપન કરવાનો અધિકાર જાણવામાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com