Book Title: Haribhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવા ૧૯૯ જુદા જુદા દેશેાની વ્યાખ્યા આપી છે. જેથી વાચકને પ્રાચીન ભારતીય સસ્કૃતિ તેમ જ પરંપરાનું જ્ઞાન થાય છે. આ ચૂર્ણ માં ગાલ્લદેશના રીતરિવાજોનું વષઁન છે. સૂત્રકૃતાંગલચણિ આચારાંગણની જેમ આ ચૂર્ણ પણ ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવામાં મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં ગાલ્લદેશ, તામ્રલિપિ આદિ દેશનું વર્ણન, ત્યાંની પર ંપરા, રીતરિવાજ, માનવસંબધે આદિની ચર્ચા છે. તીર્થસિદ્ધ આદિ વિવિધ વિષયે તેમ જ વૈનયિકવાદ, નાસ્તિકમત, સાંખ્યમત, ઈશ્વરકતૃત્વ, નિયતિવાદ આદિ દાનિક વિષયેાની પણ આમાં ચર્ચા છે. નિશીથસૂણિ : આ ચૂર્ણ આચાય જિનદાસ મહત્તરની પ્રૌઢ રચના છે. આ ણિની રચના મૂળસૂત્ર, નિયુક્તિ અને ભાષ્યની ગાથાઓને આધારે છે. નમસ્કારના પ્રસ`ગે અરિહંત, સિદ્ધ અને સાધુ પછી અદાતાના રૂપમાં ચૂર્ણિકાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને વિશેષ પ્રણામ કરેલ છે. આ ગ્રંથના ૨૦ ઉદ્દેશક છે. પ્રસંગે અનેક અન્ય વિષયે: પણ ચર્ચા છે, જૈન શ્રમણ-આચાર સાથે સંબંધિત વિધિ-નિષેધાની વિસ્તારથી ચર્ચા અને ઉત્સગ માગ અને અપવાદમાની પૂરી સૂચના આ કૃતિમાં મળે છે. આચાર્ય હરિભદ્રસૂરિએ શ્રી જિનદાસગણિની સૂણિ એના આધારે આવશ્યકનિયુક્તિ ટીકા, નદીસૂત્ર-ટીકા વગેરે રચ્યાં છે. વળી, પાતે ‘ મહાનિશીથસૂત્ર 'ને આદશ તૈયાર કર્યાં તે આચાર્ય જિનદાસણને વંચાવ્યેા હતા. ‘ તીર્થંકલ્પ ’માં એક એવા ઉલ્લેખ છે કે, શ્રી જિનદાસગણુ, મહત્તરે મથુરામાં તપસાધનાપૂર્વક ‘મહાનિશીથસૂત્ર'ના જીર્ણોદ્ધાર કર્યાં હતા. નદીચૂણિ મુજબ શ્રી જિનદાસ મહત્તરને સત્તાસમય વિક્રમની આડમી શતાબ્દી છે. સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલાયક, પરમતસહિષ્ણુ, વેદાદિ ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્પદાના વિરહ ત્યાગી સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસમ્પદાને પ્રાપ્ત કરનારા તથા આગમા પછી રચાયેલ સાહિત્યમાં સખ્યા, ગુણવત્તા અને શૈલીમાં સર્વોપરી અને શિરમેાર ચાકીની મહત્તરાનુ આચાર્ય ભદ્રસૂરિજી મહારાજ જૈન શ્રમણ પર ધરામાં શ્રી હરિભદ્ર નામે ઘણા આચાર્ય થયા છે. આ હરિભદ્રસૂરિ મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે અને ‘ યાકીનીમહત્તરાનૂનુ’ નામે પણ પ્રસિદ્ધ છે. તેમને સ'સ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ વિપુલ છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, પ્રખર તર્ક વાદિતા, અપૂ જ્ઞાનપ્રતિભા, સમભાવી અને નિષ્પક્ષ આલોચના તેમ જ ભાષાપ્રભુતા ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તેઓ નિષ્પક્ષ અને પરમતત્સહિષ્ણુ વિદ્વાન હતા. તેમણે પ્રતિપક્ષ માટે મહર્ષિ, મહામુનિ જેવા સન્માનસૂચક શબ્દના અનેક પ્રસંગે પ્રયાગ કર્યો છે. નીચેના એક લેાકથી તેની ઝાંખી થશે. Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8