________________
જિજ્ઞાસુ ગૃહસ્થ શમણ સંસ્કૃતિની એક સિદ્ધાન્ત જેવી માન્યતા એમ લાગે છે કે, અધ્યાત્મ-જીવનમાં અકર્મણ્યની સિદ્ધિને સાર સંન્યાસ જરૂરી સંસ્કાર છે. રાજકુમાર સિદ્ધાર્થ તેમ જ જ્ઞાતપુત્ર વર્ધમાનના જીવનમાંથી એમ જોવા મળે છે. ગીતામાં અર્જુન પણ એ જ પ્રશ્ન, મૂળે જોતાં, શ્રીકૃષ્ણને કરે છે.
સંન્યાસની દીક્ષા વડે આ પ્રકારની અકર્મણ્યતા જીવનમાં અંગીકાર કરવી, એવો નિવૃત્તિ-માર્ગ હિંદના પ્રાચીન ધર્મ-તત્ત્વ-સંસ્કૃતિમાં ઊંડે રહેલો છે, એમ જરૂર કહી શકાય. શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો ઉદય એ માર્ગે પોતાની દિશા નથી પકડતો, એ એમના વિકાસમાં એક નોંધપાત્ર બિંદુ ગણાય. અને એ સામાન્ય સંસાર-વ્યવહારમાં પડેલા આપણ સર્વ લોકોને માટે પ્રેરક છે; કેમ કે, સૌ કાંઈ સંન્યાસ કે દીક્ષા લઈ ન શકે, છતાં સૌએ પોતાનો ઉન્નતિ-માર્ગ તે લેવો જ રહ્યો;-જે જ્યાં હોય ત્યાંથી તેણે પોતાની જન્મ-પ્રતિ-જન્મ વિકાસયાત્રા ખેડતા જવું, એ મનુષ્યને માટે સ્વાભાવિક છે : તેનો સ્વભાવ જ મૂળે અધ્યાત્મ તરફ ઢળેલો છે -માયોધ્યામમુખ્યત એ જ ભાવ વ્યક્ત કરવાને માટે પેલું ઉપનિષદ-ઋષિ-વચન છે – આત્માને અર્થે જ, ખરું જોતાં, બધી જ કામનાઓને આભાસ થતો રહે છે.*
*"... न वा अरे सर्वस्य कामाय सर्व प्रियं भवति आत्मनस्तु હાય સર્વ શિવ મહિલા ” (યૂલા ચ૦ ૪, ૫, ૬) - પતિ, જાયા, પુત્રો, વિત્ત, પશુ, બ્રાહ્મણ-ક્ષત્રિય-લેક, દેવ, વેદ, ભૂત- અરે સર્વ આપણને પ્રિય લાગે છે, તે એમના કામનાને લીધે નહિ,
આત્માની કામનાને લીધે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org