________________
હ૮
ગમાર !!
સેતાન કહે, “લડાઈમાં થોડા ઘણા મરે પણ ખરા; તેમાં તમારે શું? રાજાજીને હુકમ છે તે ભરતી થઈ જાઓ!”
લોકો ગૂંચાયા. “જઈએ તેય મરવાનું; ન જઈએ તેય મરવાનું, તે ઘરબેઠાં મરવાનું શું ખોટું? બીજાને મારવા તે ન પડે!”
સેતાન તડૂક્યો – “મૂરખાઓ છો મુરખા! લડાઈમાં તે થોડાક જ મરે પણ ભરતી નહિ થાઓ તો રાજાજી બધાને મારી નાખશે!'
લોકો દોડયા ઇવાન પાસે. “રાજજી, સેનાપતિ કહે છે કે લશ્કરમાં ભરતી થાઓ તે થોડાક જ મરશે; પણ નહીં ભરતી થા, તે રાજાજી બધાને મારી નાખશે – ખરી વાત?'
ઇવાન માથું ખંજવાળને કહે, ‘હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો? તમે જ કહે, ભલા. હું તે શું મૂરખ, એટલે બરાબર સમજાવતાં નથી આવડતું. પણ તમે જ કહોને, હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો?”
લોકો સમજી ગયા. તેમણે સેતાનને કહી દીધું – “અમે ભરતી નહિ થઈએ!'
સેતાન થાક્યો. આવ્યો વંદારાજના રાજમાં. રાજાને કહે, “રાજાજી, કરો લશ્કર સાબદું, અને ચડાઈ કરો ઇવાન રાજા ઉપર. રોકડ નહિ મળે, પણ અનાજ ખૂબ, ઢોર-ઢાંખ ખૂબ, ઝાડ-પાલો ખૂબ. લીલાલહેર થઈ જશે!”
વંદરાજાને ચડ્યું શૂર: તૈયાર કર્યું લશ્કર અને ચડી ગયો ઇવાનના રાજ પર.
સરહદે પહોંચી નાખ્યા પડાવ; અને મોકલ્યા જાસૂસોને ભાળ કાઢવા : ઇવાનનું લશ્કર ક્યાં છે – કેટલું છે.
જાસૂસો દૂર દૂર ફરી વળ્યા. પણ લશ્કરનું નામ નહિ – નિશાન નહિ. વંદારાજાએ આપ્યો હુકમ, ‘કરો હુમલે, ને પેસો રાજની અંદર!'