Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 327
________________ E ૩૧૦ ચાર ગતિનાં કારણો શકાય તેમ ન હોય, તે કારણેને પણ રસથી સેવવાં નહિ. “ક્યારે આનાથી છૂટાય?” એ વિચાર કર્યા કરે. એ કારણેને સેવવાં પડે, એટલે વિચારવું કે-“હું કેટલું બધું મૂર્તો છું? મારે દુઃખ ને દુર્ગતિ નથી જોઈતાં અને હું જે કારણોને એવું છું, તે દુઃખને અને દુર્ગતિને આપનારાં છે; પછી, આનાથી મારી શી સ્થિતિ થશે? આ વિચારના યોગે, એ કારણને સેવાશે તે ય, હૈયું કમકમ્યા કરશે. વિષયસુખને રસ અને કષાયમાં આનન્દ અનુભવવાની કુટેવ, એ એટલી બધી ભયંકર વસ્તુઓ છે કે-આપણને સારામાં સારી સામગ્રી મળી હોય, તો ય આપણે એ સામગ્રીને જે લાભ ઉઠાવ જોઈએ; તે લાભને ઉઠાવી શકીએ નહિ; એટલું જ નહિ, પણ એ સામગ્રીની કદાચ ઉપેક્ષા ય સેવાય અને અવગણના ય થાય. ફક્ત દુઃખથી ડરે અને દુઃખથી ડરતા હો એટલે ફક્ત દુર્ગતિથી ડરે, પણ એ ડરને શું અર્થ છે? એનાં કારણેથી બચવું જોઈએ ને? અને, એ કારણથી બચવાને માટે, છેવટ કાંઈ નહિ તો, એ કારણોને સેવવામાં રસ ન આવી જાય, એટલી તકેદારી તે રાખવી જ જોઈએ ને? નિરનુગ્રહતા, એ ય નરનું કારણ નરકના આયુષ્યને આશ્રવ થવાનાં કારણોમાં ચોથું કારણ નિરનુગ્રહતા છે. નિરનુગ્રહતા એટલે અનુગ્રહથી રહિતપણું. પિતાના ઉપર અગર તે કેઈના ય ઉપર ઉપકાર કરવાની વૃત્તિને અભાવ, એ નિરનુગ્રહતા છે. જેનામાં નિરનુગ્રહતા હોય, તેને કેઈનું પણ ભલું કરવાનું મન થાય જ નહિ. દયાહીનતા, નિષ્ફરતા વગેરે દોષો નિરનુગ્રહતાના ઘરના જ છે.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374