Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૪૬ “ પદ્મિની–પાણીની પાંદડીના જથામાં પડેલું જલનું ટીપું મોતીની ઉપમાં પામે છે. ચંદનના વૃક્ષની સમીપમાં આવેલાં પલાસ-ખાખરાના વૃક્ષમાં પણ ચંદનની વાસ આવે છે. મૃગનીનાભિના પરસેવાની સુગંધીને કેસ્તુરી ગણી લો કે તેનો ઉપયોગ કરે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે સત્સંગનું ફળ એવું છે કે નીચ મનુષ્ય પણ ઉત્તમ બને છે.” પુરૂષોને સમાગમ સ્પર્શ મણી સમાન છે. ડાહ્યા મનુબોએ કુળવાન સાથે સંબંધ-પં. તિની મિત્રતા અને જ્ઞાતિજનો સાથે મેળ રાખવો જોઈએ. કહ્યું છે કે, " कुलीनैः सहसंपर्क पंडीतैः सहमित्रताम् । ज्ञातिभिश्च समं मेलं कुर्वाणोना वसीदति ॥" આવા પ્રકારનો સંબંધ રાખે છે તે નાશ પામતા નથી. . જે. મીટેઈલર કહે છે કે – A good man is the best friend, & therefore soonest to be chosen; longer to be retained; & indeed never to be parted with, unless ho ceases to be that for which he was cliosep, Joreviny Taylor. સારા-માણસ–સારા આચરણવાળો માણસ એ ઉત્તમ મિત્ર છે; તેથી તેની પસંદગી પ્રથમ કરવી જોઈએ, અને તેને સહવાસ દીર્ઘકાળ સુધી રાખ જોઈએ. પણ જે સદગુણોને માટે તેને પસંદ કરવામાં આવ્યા હેય તે તેનામાં નિર્મૂળ ન થાય તે તે મિત્રની મિત્રતા કદી તજવી જોઈએ નહિ. સદ્દગુણે પુરૂષોની મિત્રતાથી બુદ્ધિ નિર્મળ થાય છે. વર્તન ઉત્તમ બને છે. કીતિ વધે છે અને અનેક ફાયદા થાય છે, સત્સંગતિથી છેલી વસ્તુ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. કર્યું છે કે – “ ગાડ થી રાતિ શિષ્યતિવિવિજે मानोन्नतिं पाप मया करोति । चेतः प्रसादयति दिक्षुत नोति कीर्ति सत्संगतिः कथय किं न करोति पुंसाम् ।। “સત્સંગતિ બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્ય ડે છે. હદયને આનંદ આપે છે; કીર્તિને વિસ્તાર છે. કહો કે સસંગતિ પુરૂષોને શું નથી આપતી. અપૂર્ણ.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36